શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત વિશે

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત વિશે

પાણી તો આપણે બધા પીએ જ છીએ પણ શું તમને પાણી પીવાની સાચી રીત વિશે ખબર છે? અને તમે જે રીતે પાણી પીઓ છો અને જે સમયે પીઓ છો એ ઠીક છે? આપણએ બધા જાણીએ છીએ કે શરીરમાં સૌથી વધુ હિસ્સો પાણીનો હોય છે પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય સમયે પાણી પીવાથી તમે સ્થૂળતા, માથાનો દુખાવો અને પાચન સહિતની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે અમે તમને પાણી પીવાના ફાયદા અને યોગ્ય સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  

શા માટે પાણી પીવું જરૂરી છે?
આપણએ બધા જાણીએ છીએ કે આપણા શરીરમાં 75 ટકા હિસ્સો પાણીનો છે જો કે નાના બાળકોના જ્યાં પાણીનું પ્રમાણ 80 થી 85 ટકા હોય છે. જણાવી દઈએ કે ઓછું પાણી પીવાથી, આપણે ડિહાઇડ્રેશનનો શિકાર બનીએ છીએ અને તેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન પણ પંહોચે છે.

કેટલું પાણી પીવું જોઈએ?
એક્સપર્ટના મત મુજબ પાણીની કોઈ નિશ્ચિત માત્રા નથી હોતી  પણઇની જરૂરિયાત સમય, સ્થળ, ઋતુ પ્રમાણે વધુ કે ઓછું હોઈ શકે છે. એટલા માટે જ હંમેશા હાથ પાસે પાણીની બોટલ રાખવી જોઈએ અને જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે પાણી પી લેવું જોઈએ. જો કે તમારે એક સાથે 3-4 ગ્લાસ પાણી પીવાની જરૂર નથી પણથોડા કલાકોમાં પાણી પીતા રહેવું જોઈએ.

શું ઊભા રહીને પાણી ન પીવું જોઈએ?
આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ઉભા રહીને પાણી ન પીવું જોઈએ,પણ એક્સપર્ટના મત મુજબ આવું ક્યાંય પણ લખાયેલ કે સાબિત થયેલ નથી. મેરેથોનમાં દોડતી વખતે દોડવીરો પણ દોડતા કે ઊભા રહીને પાણી પીવે છે પણ માત્ર એટલું ધ્યાનમાં રાખો કે પાણી આરામથી પીવું જોઈએ ઉતાવળમાં પાણી પીવાથી સમસ્યા થઈ શકે છે.

ઊઠીને કેમ પીવું જોઈએ પાણી?
ડૉક્ટરના મત મુજબ આખી રાતમાં શરીરમાં પાણીની ખામી થઈ ગઈ હોય છે અને એટલા માટે જ ઉઠીને સવારે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ નહીં તો લોહી જાડું થીઆ જાય છે અને હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.‌

ગરમ પાણી પીવું કે ઠંડું?
શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું કે નવશેકું પાણી પીવું જોઈએ અને  ઉનાળામાં પણ ગરમ પાણી પીવાની જરૂર નથી, ત્યારે સામાન્ય તાપમાનનું એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર રહેલ પાણી પીવું જોઈએ.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow