એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી

એક વિદ્યાર્થિની બીમાર થઇ તો ભૂવાને બોલાવી 140 છાત્રાઓની વિધિ કરાવી

રાજ્યની શાળાઓમાં અંધશ્રધ્ધાના નિમૂર્લનના પાઠ ભણાવવાના હોય છે પરંતુ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામની એક શાળામાં અંધશ્રદ્ધામાં બંધાઇ ભૂવા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ પર વિધિ કરાઇ હોવાની ઘટનાથી ચકચાર જાગી છે. આશ્રમશાળામાં ધો. 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને પ્રાંગણમાં આવેલી આશ્રમ શાળામાં રહે છે.

ગત દિવસોમાં એક વિદ્યાર્થીને અચાનક રાત્રે કંઈક તકલીફ થઇ હતી અને બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી. તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમની ગૃહમાતાને મામલાની જાણ થતા આવ્યા હતા. તેઓ પીડિતાને સારવાર માટે દવાખાને લઇ જવાને બદલે નજીકના ગામમાંથી એક ભગતને બોલાવી રાત્રે બનેલી બીના સંભળાવી હતી.

વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા
ભગતે કહ્યુ કે વિદ્યાર્થિનીને ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે. ત્યારબાદ તે વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. તેની સાથે સાથે ત્યાં રહેતી તમામ વિદ્યાર્થિનીને પીછી નાંખી હતી, અને હાથે લાલ દોરા બંધાવ્યા હતાં.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow