વ્યક્તિના મોત પછી શું થાય છે તેના ફેસબુક એકાઉન્ટનું? ખૂબ જાણવા જેવી માહિતી

વ્યક્તિના મોત પછી શું થાય છે તેના ફેસબુક એકાઉન્ટનું? ખૂબ જાણવા જેવી માહિતી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો તેના ફેસબુક એકાઉન્ટનું શું થશે.  

જો નહીં તો અમે તમને જણાવીએ છીએ. ગૂગલની જેમ, ફેસબુકમાં પણ એક સેટિંગ ઉપલબ્ધ છે, જેથી વ્યક્તિના મૃત્યુ પછી, ફેસબુક તેના એકાઉન્ટ, પ્રોફાઇલ, ચિત્ર અને પોસ્ટ જેવી તમામ માહિતીને કાઢી નાખે છે.  

જો તેઓ આ ન ઇચ્છતા હોય, તો તેમની પ્રોફાઇલને સ્મારક તરીકે પણ છોડી શકાય છે, જેનું સંચાલન અન્ય કોઈ કરી શકે છે.

જો યુઝર ઈચ્છે છે કે ફેસબુક તેના મૃત્યુ બાદ તેનો તમામ ડેટા ડિલીટ કરી દે. આ માટે, તેઓએ અગાઉથી સેટ કરવું પડશે. આમાં કેટલાક પગલાં સામેલ છે. આવો જાણીએ આ સ્ટેપ્સ વિશે.  

  • સૌથી પહેલા ફેસબુક એપ પર જાઓ.
  • પછી જમણી બાજુ ઉપરથી તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો.
  • ત્યાર બાદ Settings અને privacy માંથી Settings પર જાઓ.
  • પછી ઍક્સેસ અને નિયંત્રણ પર ટેપ કરો.
  • પછી મેમોરિયલાઈઝેશન સેટિંગ્સ પર જાઓ.
  • હવે Legacy Contacts પસંદ કરો પસંદ કરો.

એકાઉન્ટ ડિલીટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
જો યુઝર તેના ફેસબુક પેજને સ્મારક તરીકે રાખવા માંગતા નથી. તેથી વપરાશકર્તા તેને કાયમી ધોરણે કાઢી નાખવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.  

ફેસબુકે માહિતી આપી છે કે આ માટે ફેસબુકને કોઈએ જણાવવું પડશે કે યુઝરનું મૃત્યુ થયું છે. આ પછી, કંપની તરત જ વપરાશકર્તાના ફોટા, પોસ્ટ, ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ જેવી તમામ માહિતીને કાઢી નાખશે.

  • આ વપરાશકર્તાની મુખ્ય પ્રોફાઇલ માટે હશે. આ માટે યુઝરે ફેસબુકની ઉપર જમણી બાજુએ પોતાના પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, તમારે સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરવાનું રહેશે, પછી સેટિંગ્સ પર ક્લિક કરો.
  • આ પછી, તમારે એક્સેસ અને કંટ્રોલમાંથી મેમોરિયલાઇઝેશન સેટિંગ્સમાં જવું પડશે.
  • પછી Delete after death પર ક્લિક કરો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow