ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે શું કહીને આપ્યા જામીન? સળગતી ટ્રેનમાં લોકો પર ફેંક્યા હતા પથ્થર

ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે શું કહીને આપ્યા જામીન? સળગતી ટ્રેનમાં લોકો પર ફેંક્યા હતા પથ્થર

27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. આથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે છે.

ક્રિસમસની રજાઓ બાદ બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરાશે
ગુજરાત સરકારના ભારે વિરોધ બાદ પણ સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો આથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને તેઓ મૃત્યુ પામે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ બાદ જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.

2002માં સાબરમતી એક્સપ્રેસમાં ગોધરા ખાતે કરાઇ હતી આગચંપી
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા.

કયા કેસમાં ફારૂક દોષિત છે?
દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફારુકની જામીન અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેની પર માત્ર પથ્થરબાજીનો જ આરોપ નથી, પરંતુ તે એક જધન્ય ગુનો હતો. કારણ કે આ ઘટના દરમ્યાન લોકોને પથ્થરમારો કરીને સળગતી ટ્રેનમાંથી બહાર ન હોતા નીકળવા દેવાયા.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow