બુધવારે કાલ ભૈરવ આઠમ

બુધવારે કાલ ભૈરવ આઠમ

બુધવાર, 16 નવેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની આઠમ છે. પ્રાચીન સમયમાં આ તિથિએ શિવજીએ કાલ ભૈરવ સ્વરૂપમાં અવતાર લીધો હતો. બધા જ પૌરાણિક દેવી મંદિરો સાથે જ કાલ ભૈરવના મંદિર પણ છે. આ દિવસે કાલ ભૈરવનો સિંદૂર અને ચમેલીના તેલથી શ્રૃંગાર કરવો જોઈએ. હાર-ફૂલ ચઢાવો, ધૂપ-દીપ પ્રગટાવો. ભૈરવ મહારાજને ઇમરતીનો ભોગ ધરાવવો.

ભૈરવ અવતારમાં ત્રણ ગુણ હોય છે
સૃષ્ટિની રચના સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોથી મળીને થઇ છે. શિવજી દરેક કણમાં વિરાજમાન છે, આ કારણે શિવજી જ આ ત્રણેય ગુણના નિયંત્રક માનવામાં આવે છે. શિવજીને આનંદ સ્વરૂપમાં શંભૂ, વિકરાળ સ્વરૂપમાં ઉગ્ર અને સત્વ સ્વરૂપમાં સાત્વિક કહેવામાં આવે છે. આ સંપૂર્ણ બાબતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છે.

ભૈરવના ત્રણ સ્વરૂપ અને તેની ખાસ વાતો
શાસ્ત્રોમાં અષ્ટ ભૈરવથી લઇને 64 ભૈરવ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ લેખમાં જાણો શિવજીના રજ, તમ અને સત્વ ગુણોના આધારે ભૈરવ સ્વરૂપ ક્યા-ક્યા છે અને કઇ મનોકામના માટે ક્યાં સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

બટુક ભૈરવ- આ ભૈરવનું સાત્વિક અને બાળ સ્વરૂપ છે. જે લોકો બધા સુખ, લાંબું આયુષ્ય, નિરોગી જીવન, પદ, પ્રતિષ્ઠા અને મુક્તિ મેળવવા માંગે છે, તેઓ બટુક ભૈરવની પૂજા કરી શકે છે.

કાલ ભૈરવ- ભૈરવનું તામસિક સ્વરૂપ છે, પરંતુ કલ્યાણકારી છે. આ સ્વરૂપને કાળના નિયંત્રક માનવામાં આવે છે. તેની પૂજા અજ્ઞાત ભય, સંકટ, દુઃખ અને દુશ્મનોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે.

આનંદ ભૈરવ- આ ભૈરવનું રાજસ એટલે રજ સ્વરૂપ માનવામાં આવે છે. દસ મહાવિદ્યા અંતર્ગત દરેક શક્તિ સાથે ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજાથી ધન, ધર્મની સિદ્ધિઓ મળી શકે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow