એકાદશી અને રવિવારે તુલસી પર નથી ચડાવવામાં આવતુ જળ, જાણો શું છે તેના પાછળનું ધાર્મિક મહત્વ

એકાદશી અને રવિવારે તુલસી પર નથી ચડાવવામાં આવતુ જળ, જાણો શું છે તેના પાછળનું ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. તુલસીજીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને જળ ચડાવવાથી વિશેષ લાભ થાય છે. પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને પાણી ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ શું છે.

રવિવારે ન આપવું જોઈએ તુલસીમાં પાણી
તુલસીજીને નિયમિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

રવિવારે તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેથી આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

એકાદશી પર કેમ નથી આપવામાં આવતુ તુલસીમાં જળ
શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે માતા તુલસી દરેક એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશી પર પણ તુલસીને જળ ચડાવવાની મનાઈ છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow