એકાદશી અને રવિવારે તુલસી પર નથી ચડાવવામાં આવતુ જળ, જાણો શું છે તેના પાછળનું ધાર્મિક મહત્વ

એકાદશી અને રવિવારે તુલસી પર નથી ચડાવવામાં આવતુ જળ, જાણો શું છે તેના પાછળનું ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. તુલસીજીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને જળ ચડાવવાથી વિશેષ લાભ થાય છે. પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને પાણી ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ શું છે.

રવિવારે ન આપવું જોઈએ તુલસીમાં પાણી
તુલસીજીને નિયમિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

રવિવારે તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેથી આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

એકાદશી પર કેમ નથી આપવામાં આવતુ તુલસીમાં જળ
શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે માતા તુલસી દરેક એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશી પર પણ તુલસીને જળ ચડાવવાની મનાઈ છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow