રાજકોટમાં વોર્ડ નં.15ની પેટાચૂંટણી જાહેર

રાજકોટમાં વોર્ડ નં.15ની પેટાચૂંટણી જાહેર

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં બે કોર્પોરેટરે પદ ગુમાવ્યા બાદ પદ ખાલી જ હતા પણ રાજ્ય ચૂંટણીપંચે પાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી કરવા માટે જાહેરાત કરતા આખરે મનપાની બે બેઠક પણ આવરી લેવાશે.

ચૂંટણીપંચે જાહેર કરેલા આયોજન મુજબ 17મી સુધીમાં જાહેરનામું બહાર પાડવાનું રહેશે. 22-7 સુધીમાં ફોર્મ ભરી શકાશે. 23મીએ ફોર્મ ચકાસણી અને 25મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 6 ઓગસ્ટ રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન અને 8મીએ મતગણતરી કરીને પરિણામ આપી દેવાશે. એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

હાલ રાજકોટ મનપાના જે પદાધિકારીઓ છે તેમની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં નવા પદાધિકારીઓની વરણી કરવાની રહેશે જોકે તે પહેલા જ ચૂંટણી જાહેર થઈ જતા દરેક પાલિકામાં નવા પદાધિકારીઓની પસંદગીમાં પેટાચૂંટણીમાં નવનિયુક્ત કોર્પોરેટરને પણ સમાવવાની તક જે તે પાલિકાને મળી રહેશે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow