બનવા માંગતી હતી પત્રકાર અને બની ગઈ અદાકારા, રોચક છે આ અભિનેત્રીની કહાની

અભિનેત્રી રિચા ચડ્ઢાનો આજે 34મો જન્મ દિવસ
રિચા ચડ્ઢા માત્ર પોતાની ફિલ્મો માટે નહીં, પરંતુ પોતાના ધારદાર નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. આવો જાણીએ તેમના જન્મ દિવસે તેમની અમુક ખાસ વાતો. પંજાબમાં જન્મેલી રિચા ચડ્ઢાની પરવરિશ દિલ્હીમાં થઇ.

તે સમયે ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી હતી અને આ મૂવમેન્ટને જોઇને તેના માતા-પિતા દિલ્હીમાં આવી ગયા. અભિનેત્રીનો પૂરો અભ્યાસ દિલ્હીથી થયો. રિચાના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ટીવી પત્રકાર બને, પરંતુ નસીબને કઈ બીજુ મંજૂર હતુ.

સોશિયલ મીડિયામાં પીજી ડિપ્લોમા કર્યા બાદ રિચા મુંબઈ આવી ગઇ. મીડિયામાં ભાગ્ય અજમાવવાની જગ્યાએ તે મોડલિંગ કરવા લાગી. આ સાથે તે થિયેટર સાથે પણ જોડાઈ ગઇ. જ્યાંથી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ.

રિચા ચડ્ઢાએ આ ફિલ્મો કરી
ત્યારબાદ તેમણે એકથી વધુ ફિલ્મો કરી. આ સાથે પોતાના અભિનયના બળભૂતે પ્રશંસકોના દિલમાં અલગ છાપ બનાવી.

જેમાં 'મેં ઔર ચાર્લ્સ', 'ચૉક એન ડસ્ટર', 'સરબજીત', 'જિયા અને જિયા', 'ફુકરે રિટર્નસ', '3 સ્ટોરેયસ', 'દાસ દેવ', 'લવ સોનિયા', 'ઈશ્કરિયા', 'પંગા', 'શકીલા' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' વગેરે ફિલ્મો સામેલ છે.