વ્યાજદરોમાં વૃદ્ધિ ભવિષ્ય માટે વધુ જોખમી સાબિત થઇ શકે

વ્યાજદરોમાં વૃદ્ધિ ભવિષ્ય માટે વધુ જોખમી સાબિત થઇ શકે

વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારી પર લગામ લગાવવા માટે કેન્દ્રીય બેન્કો જે આક્રમક વલણ અપનાવીને વ્યાજદરોમાં વધારો કરી રહી છે, તે નજીકના ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઇ શકે છે. MK વેલ્થ મેનેજમેન્ટના મતે ભૌગોલિક-રાજકીય તણાવ, ક્રૂડ ઑઇલની કિંમતમાં તેજી અને વિકસિત દેશોમાં મંદીની આશંકાથી માર્કેટ પર ખતરો તોળાઇ રહ્યો છે.

એક વેબિનારને સંબોધિત કરતા એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે કહ્યું હતું કે, ભારત માટે ચિંતાનો વિષય નથી. પરંતુ તેનાથી નિકાસની રફતાર ઘટવાની સંભાવના પ્રબળ બની છે તેમજ કરન્સી રિવેલ્યુએશનનું જોખમ પણ વધ્યું છે.

મોટા ભાગની અર્થવ્યવસ્થાઓ માટે મોંઘવારી ચિંતાનો વિષય બની છે. જેને રોકવા માટે કેન્દ્રીય બેન્કો આક્રમક રીતે વ્યાજદરોમાં વધારો કરી રહી છે. જે નિકટના ભવિષ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આગામી ક્વાર્ટરમાં ડૉલર ઇન્ડેક્સ તથા ક્રૂડ ઑઇલની કિંમતો પર નજર રાખવાની આવશ્યકતા છે. જોસેફ અનુસાર, ભૌગોલિક-રાજકીય તણાવ વધવાથી સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાયો છે.

જેને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી પર અંકુશ માટે અમેરિકા અને યુરોપ સહિતના અનેક દેશોની કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં વૃદ્વિનું વલણ અપનાવ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow