માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

આવડત હોય તો કોઈપણ વ્યક્તિ વિશ્વના કોઈ ખૂણે પાછો પડતો નથી. કંઇક અલગ કરવાની નેમ સાથે રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ કાર, બાઈક, ટ્રેનનું એન્જિન, ઇન્ડસ્ટ્રીના મશીનો વગેરેના આબેહૂબ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. કોઈપણ જાતનો કોર્સ કે કોઈ પણ પ્રકારની તાલીમ વગર તેમણે માત્ર કોઠાસૂઝ- આવડતથી નવરાશના સમયમાં આ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. જે ઇલેક્ટ્રિકથી ચાલુ પણ થાય છે. આ મોડેલનું પ્રદર્શન હાલ નેશનલ સાયન્સ ડે નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્રમાં ખુલ્લું મુકાયું છે.  

મૂળ જૂનાગઢના સારંગપીપળી ગામના હાલ રાજકોટ રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર 3 ચોપડી ભણેલા છે. હાલ તેઓ રાજકોટમાં લુહારી ભઠ્ઠી કામ કરે છે. પરંતુ તેઓ પોતાના નવરાશના સમયમાં જુદા-જુદા ઉપકરણો બનાવે છે. સમય મળતા તેઓ પોતાની આગવી આવડતથી જુદા-જુદા ઉપકરણો બનાવ્યા છે. ટ્રેનના આબેહૂબ એન્જિન, બુલેટ, જીપ, ઇન્ડસ્ટ્રીઝને લગતા લેથ મશીન, સિમેન્ટ મિક્સર, વેલ્ડિંગ મશીન, ઘરઘંટી સહિતના 160 જેટલા ચાલુ રિયલ મોડેલ તેમણે બનાવ્યા છે.  

વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા
તેમણે જણાવ્યું હતું કે, મેં જે યંત્રો, ઉપકરણો બનાવ્યા છે તે ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ રિયલ મોડેલ બનાવવા માટે મેં ક્યાંય કોઈ ટ્રેનિંગ લીધી નથી, હું માત્ર મારી કોઠાસૂઝથી આ તમામ યંત્રો, વાહનો, મશીન બનાવું છું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ બધું મેં વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા છે.  

સમય મળ્યે ભંગારના વાડામાંથી ઉપકરણો બનાવવા માટેનો સામાન લેવા નીકળી પડું છું. યુવાનો પોતાનામાં રહેલી આવડત ઓળખી શકે અને તેઓ જાગૃત થાય તેમજ પરીક્ષામાં નાપાસ થવા કે નોકરી ન મળવા જેવી બાબતમાં નિરાશ ન થાય તે માટે હું પ્રદર્શન યોજીને યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરું છું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow