વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

આપણાં શરીરમા વિટામિન B12 એક અગત્યનું વિટામિન છે જેને શરીર પોતે નથી બનાવી શકતું. આ વિટામિનના લીધે જ આપણાં શરીરના લાલ રક્ત કોષ અને ડીએનએ (DNA)ને બનવામાં મદદ મળે છે.  તેની સાથે જ, વિટામિન B12 નર્વ સિસ્ટમને પણ સારી રીતે કામ કરવામાં મદદરુપ થાય છે. જો શરીરમાં વિટામિન B12 ની ખામી થાય તો આપણું શરીર ઘણા રોગનું ઘર બની શકે છે. આથી જ વહેલી તકે આ ખામીના લક્ષણ જાણવા જરૂરી છે.

વિટામિન B12 ની ખામીના લક્ષણ

શ્વાસ ફુલાવો
વિટામિન B12 ની કમીના લીધે શ્વાસ ફૂલાવા લાગે છે. વધુ શારીરિક કામ કર્યું હોય અને આવું થાય તો સમજી પણ શકાય પણ કામ કર્યા વિના આવું થવા લાગે અથવા તો ઍક-બે સીડીઓ ચઢતાની સાથે જ આવું થવા લાગે તો સમજવું કે આ એક વિટામિન B12 ની ખામીનું લક્ષણ છે.

ઝાંખું દેખાવું
વિટામિન B12 ની કમીના લીધે આંખોની રોશનીને નુકશાન થઈ શકે છે. જેથી જોવામાં તકલીફ પડી શકે છે કે ઝાંખું-ઝાંખું દેખાવવા લાગે છે. એટલે કે જો કોઈ આવી સમસ્યા જણાઈ તો વહેલા ધોરણે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

ચામડીનું પીળું પડવું  
જે લોકોના શરીરમાં વિટામિન B12 ની કમી હોય છે તેમના શરીરની ચામડી પીળી પડવા લાગે છે.પીળી પડતી ચામડી એ વાતનું સંકેત આપે છે કે શરીરમાં લાલ રક્ત કોષ ઓછા બની રહ્યા છે. જે વિટામિન B12 ની કમીના લીધે થાય છે.

થાક લાગવો
વિટામિન B12 ની કમીના લીધે શરીર કમજોર થવા લાગે છે. નાના એવા કામથી પણ થાક લાગવા લાગે છે. આવું લાલ રક્ત કોષ ઓચ્છા બનવાના અને રક્ત પ્રવાહ વ્યવસ્થિત રીતે ન થવાના લીધે થાય છે. આનાથી એનીમિયા પણ થઈ શકે છે.

માનસિક સ્થિતિ પર અસર પડે છે
જે વ્યક્તિના શરીરમાં વિટામિન B12 ની   કમી હોય છે તેમને માનસિક તકલીફો તથા તણાવ પણ જોવા મળે છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow