વિરાટે કહ્યું- હું 40-50 રનથી ખુશ થનારાઓમાંથી નથી

વિરાટે કહ્યું- હું 40-50 રનથી ખુશ થનારાઓમાંથી નથી

અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 186 રનની ઇનિંગે વિરાટ કોહલીને ઘણી રાહત આપી દીધી છે. વિરાટે કહ્યું હતું કે તે 40-50 રનથી ખુશ થનારો માણસ નથી. તેઓ જાણે છે કે 150 રન બનાવીને ટીમની મદદ કરી શકે છે, પરંતુ લાંબા સમયથી આવું ના કરી શકવાના કારણે તેમને વસવસો રહી ગયો હતો. જોકે હવે આ 186 રનની ઇનિંગ પછી તેઓ ઘણી રાહત અનુભવી છે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં કોઈ જ પ્રકારના તણાવમાં નહીં રહે.

વિરાટે આ વાત એક વીડિયોમાં કહી હતી, જેને BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ પણ છે. દ્રવિડે કહ્યું હતું કે તેઓ પણ ઇચ્છે છે કે તેમના હેડ કોચ રહેતા વિરાટ સેન્ચુરી ફટકારે અને ડ્રેસિંગ રૂમમાં આ મોમેન્ટને માણી શકે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow