આંધ્રમાં TDP-YSR કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ

આંધ્રમાં TDP-YSR કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ

આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં શુક્રવારે સાંજે તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલો વધતો જોઈને પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલમાં માચેરલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

TDP કાર્યકર્તાઓ અહીંના માચેરલા ગામમાં YSRCP સરકાર વિરુદ્ધ રેલી કરવા જઈ રહ્યા હતા, જ્યારે બંને પક્ષોના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણ થતાં સામસામે પથ્થરમારો થયો હતો. એમાં બંને તરફના લોકોને ઈજા થઈ હતી. હિંસક અથડામણમાં અનેક મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. હવે બંને પક્ષો એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

TDPનું કહેવું છે કે YSRCPના કાર્યકર્તાઓએ તેમની ઓફિસ અને નેતાઓના વાહનને આગ લગાડી હતી, જ્યારે શાસક પક્ષનું કહેવું છે કે તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓએ અથડામણમાં તેના કાર્યકરોને ઇજા પહોંચાડી હતી.

TDPના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુંટૂરના ડીઆઈજીને હુમલા અંગે પૂછ્યું છે કે જ્યારે માચેરલામાં સ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે ત્યારે પોલીસે કેમ કાર્યવાહી ન કરી?

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow