મહારાષ્ટ્રમાં રામનવમીએ હિંસા ફાટી નીકળી!

મહારાષ્ટ્રમાં રામનવમીએ હિંસા ફાટી નીકળી!

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના કિરાડપુરામાં યુવકોના બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયા હતા, જે બાદ હિંસા ફાટી નીકળી હતી.

તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. હિંસા રાત્રે 11.30 વાગ્યે શરૂ થઈ અને સવારે 3.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

આજે એટલે કે ગુરુવારે મનાવાઈ રહેલ રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરાડપુરા વિસ્તારમાં આવેલ રામમંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીં તેઓ અન્ય જૂથ સાથે ઝગડો થયો અને બોલાચાલી વધી ગઈ હતી. બંને જૂથોમાં વચ્ચે ઉગ્ર સુત્રોચ્ચાર થવા લાગ્યા હતા.

થોડીવાર પછી એક જૂથે મંદિર તરફ પથ્થરમારો કર્યો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં ઘુસ્યા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. લોકોએ પોલીસને જણાવ્યું પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં તો આગચંપી શરૂ થઈ ચૂકી હતી. તોફાનીઓએ મંદિરની સામે પાર્ક કરેલી પોલીસની ગાડીને આગ ચાંપીને ફુંકી મારી હતી.

ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક ધર્મગુરુઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ભીડ તેમની વાત માનવા માટે પણ તૈયાર ન હતી. ટૂંક સમયમાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ તોફાનીઓએ તેમના પર પણ પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ટોળાને વીખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow