વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

આજે વૈશાખ માસની પૂનમ છે. આ દિવસને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પીપળની વિશેષ પૂજા શાસ્ત્રોમાં કરવામાં આવી છે.

સ્કંદ, પદ્મ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર આ વૃક્ષમાં તમામ દેવતાઓ અને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીપળો એ ભગવાન વિષ્ણુનું જીવંત અને સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.

પૂનમના દિવસે પિતૃઓ માટે કરવામાં આવતી પૂજાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી જ વૈશાખ માસની પૂર્ણિમાએ પીપળની પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, પીપળો તેમનું એક સ્વરૂપ છે, તેથી પીપળાની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને આપણાં દુઃખ દૂર કરે છે. આ જ કારણ છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા માટે વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેને અશ્વત્થ પણ કહેવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, દાંડીમાં કૃષ્ણ અને ફળો અને ફૂલોમાં તમામ દેવતાઓનો વાસ છે. પીપળાને ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું વૃક્ષ તમામ વૃક્ષોમાં શ્રેષ્ઠ છે કારણ કે તે વાસ્તવમાં મારું સ્વરૂપ છે.

Read more

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરે

By Gujaratnow
જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં ના

By Gujaratnow
સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow