ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના સૌથી વધુ 5 લોકો ઘાયલ પણ થયા હતા, અમદાવાદના ચૈતન્ય જોશી (60) અને દીપલ જોશી (50)ને ગંભીર હાલતમાં AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના પ્રશાંત ધ્રુવ (71), પ્રતિભા ધ્રુવ (70) અને આનંદ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.

મૃતકોમાં દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશના લોકો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા: દિલ્હીની અનિતા ચૌહાણ, ગુજરાતના પાર્થસારથી મધુસુદન જોશી, મહારાષ્ટ્રની નમિતા પ્રબોધ, બેંગલુરુના અનુજ વેંકટરમન અને ઉત્તર પ્રદેશના સહારનપુરના આશુ ત્યાગી. બધા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow