વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

રાજકોટના ઉમરાળીમાં રહેતા પ્રૌઢ અને તેના ભત્રીજા પર ગામમાં જ રહેતા વ્યાજખોર પિતા-પુત્રએ હુમલો કરતાં ઘવાયેલા કાકા ભત્રીજા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, વ્યાજખોરોએ 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા વધુ રકમ ચૂકવાઇ ગઇ હોવા છતાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હોય પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.

ઉમરાળી ગામે રહેતા પ્રફૂલચંદ્ર નાનાલાલ જોશી (ઉ.વ.55) શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં જ રહેતો કનુ પીઠા ડવ અને તેનો પુત્ર કુલદીપ ડવ ત્યાં ધસી ગયા હતા અને શેરીમાં ઊભા રહી ગાળો ભાંડવા લાગ્યા હતા, પ્રફૂલચંદ્ર ઘરની બહાર નીકળતાં હમણાથી કેમ વ્યાજ આપતો નથી તેમ કહી પિતા-પુત્ર તેના પર લાકડીથી તૂટી પડ્યા હતા, પ્રફૂલચંદ્રને બચાવવા દોડેલા તેના ભત્રીજા બિપીનભાઇ ભાનુભાઇ જોશી (ઉ.વ.39)ને પણ હુમલાખોરોએ માર માર્યો હતો, હુમલો થતાં દેકારો મચી જતાં હુમલાખોર પિતા-પુત્ર નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રફૂલચંદ્રએ આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 14 વર્ષ પૂર્વે પોતે અમદાવાદ શરાફી પેઢીમાં નોકરી કરતા હતા ત્યારે નાણાંની જરૂરિયાત ઊભી થતાં કનુ પીઠા ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, ત્યારબાદ પ્રફૂલચંદ્રના ભત્રીજા મીરજ ભાનુભાઇ જોશીએ કુલદીપ ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, કાકા ભત્રીજા બંને નિયમિત વ્યાજ ચૂકવતા હતા છતાં કનુ ડવે પ્રફૂલચંદ્રના પિતાના નામની 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા અનેક મોટી રકમ કાકા ભત્રીજાએ ચૂકવી દીધી હતી છતાં વ્યાજખોર પિતા-પુત્રની આર્થિક ભૂખ સમી નહોતી અને સતત વ્યાજની ઉઘરાણી શરૂ કરતા હતા, કેટલાક સમયથી પ્રફૂલચંદ્ર અને તેનો ભત્રીજો વ્યાજ નહીં ચૂકવી શકતા શનિવારે વ્યાજખોર પિતા-પુત્ર તેના ઘરે ધસી ગયા હતા અને હુમલો કર્યો હતો. પોલીસે વ્યાજખોરી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વ્યાજખોર પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow