ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

સ્કિનને ચમકદાર બનાવવાનુ કામ કરે છે

ડુંગળી છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે, જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ગુલાબજળ સાથે

ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.

નાશપતી સાથે

નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.

ઓટ્સની સાથે

ઓટ્સની સાથે ડુંગળીની છાલને મિલાવવાથી સ્ક્રબ બનાવી શકો છો. સ્ક્રબ બનાવવા માટે એક વાસણમાં ઓટ્સ અને બીજા વાસણમાં ડુંગળીની છાલને ઉકાળો. ઠંડુ થયા બાદ બંનેને મિક્સ કરો. ઉપરથી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ સ્ક્રબનો ઉપયોગ ચહેરા પર કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે અને ચહેરા પર ચમક દેખાશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow