વ્યાજદરમાં વૃદ્ધિ-હાઉસિંગ કિંમતો વધવા છતાં તહેવારમાં હાઉસિંગ સેગમેન્ટમાં માગ વધવાનો આશાવાદ

વ્યાજદરમાં વૃદ્ધિ-હાઉસિંગ કિંમતો વધવા છતાં તહેવારમાં હાઉસિંગ સેગમેન્ટમાં માગ વધવાનો આશાવાદ

કોરોના મહામારી બાદ છેલ્લા દોઢ વર્ષથી રિયલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહ્યો છે. પરંતુ છેલ્લા છ માસથી રિઝર્વ બેન્ક દ્વારા હોમલોનના વ્યાજદરમાં વધારો થતા માગ અટકી હતી પરંતુ તહેવારોના કારણે રોકાણકારો ગુજરાતને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. જેની પાછળનું મુખ્ય કારણ દેશના ટોચના આઠ શહેરોમાં રિયલ એસ્ટેટમાં ગુજરાતમાં હજુ કિંમતો પ્રમાણમાં ઘણી ઓછી છે.

રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં રો મટિરિયલ્સમાં મોંઘવારી વધતાં ભાવમાં ઉત્પાદન ખર્ચ વધ્યા છે. જેની અસર માગ પર થોડા સમયથી જોવા મળી હતી. અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ ત્રિમાસિક ધોરણે 1.1 ટકા વધ્યા છે જ્યારે માગ 1.5 ટકા ઘટી હોવાનું મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q3, 2022ના રિપોર્ટ અનુસાર જણાવાયું છે.

પુરવઠામાં પણ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, માગ અને પુરવઠામાં ઘટાડા પાછળનું કારણ ચોમાસાની સિઝન તેમજ વ્યાજદરમાં વધારો પણ હોઈ શકે છે. ઘર ખરીદવા ઈચ્છુક લોકો હાલ બેન્કો દ્વારા લોન રેટમાં વધારાની રાહ જોઈ રહ્યા હોવાનું બિલ્ડર્સે જણાવ્યું હતું.

મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં ચોમાસાની સિઝનને કારણે ઘરની માગ અને પુરવઠામાં ઘટાડો થયો છે. જોકે તહેવારનાં આગામી મહિનાઓ રિયલ એસ્ટેટ રોકાણ માટે શુકનવંતા છે.માગ અને પુરવઠામાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા છે.

ઝડપી વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સતત વધતી આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓથી રોજગારીની આકર્ષક તકોને કારણે ઘરની માગ સૌથી વધુ જોવા મળી હતી. હાઉસિંગ માર્કેટમાં 3 બીએચકે યુનિટનું વર્ચસ્વ છે, જે કુલ માગમાં 44 ટકા અને કુલ પુરવઠામાં 45 ટકા હિસ્સો ધરાવે છે. મિડ-સેગમેન્ટ પ્રોપર્ટીઓ માટે મકાનોની માગ અને પુરવઠો અનુક્રમે 41 ટકા અને 45 ટકા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow