પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દસ લાખ યુવાનોને રોજગારી આપવાનું અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમને ‘રોજગારી મેળો’ નામ અપાયું છે. તેમાં 75 હજાર યુવાનોને નિમણૂકપત્ર અપાશે. વડાપ્રધાને આ વર્ષે જૂનમાં જ સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડથી દસ લાખ હોદ્દા પર ભરતી કરવાનો નિર્દેશ કર્યો હતો.

દેશભરમાં પસંદગી પામેલા નવા કર્મચારીઓને ભારત સરકારના વિવિધ 38 મંત્રાલય અને વિભાગોમાં નિમણૂક અપાશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારમાં ગ્રેડ એ, બી અને સી સ્તરના હોદ્દા પર થશે. આ નિમણૂકોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના કર્મીઓ, કોન્સ્ટેબલ, એડીસી, સ્ટેનો, પીએ, આઈટી ઇન્સ્પેક્ટર અને એમટીએસ વગેરે સામેલ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow