ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 365 લાખ ટન આંબશે : ઇસ્મા

ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 365 લાખ ટન આંબશે : ઇસ્મા

દેશમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે પાકને અનુકુળ વરસાદ થતા ખાંડનું ઉત્પાદન વર્ષ 2022-23ની માર્કેટિંગ સીઝન દરમિયાન 2 ટકા વધીને 365 લાખ ટન રહેવાનું અનુમાન ઇસ્માએ દર્શાવ્યો છે. આ મહિનાની શરૂઆતથી માર્કેટિંગ સીઝનની શરૂઆત થઇ છે. દેશમાં 2021-22ની માર્કેટિંગ સીઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન 35.8 મિલિયન ટન નોંધાયું હતું. તે ઑક્ટોબર-સપ્ટેમ્બરની સીઝન હતી.

ઇથેનોલ માટે વધુ ડાયવર્ઝન છતાં ઉત્પાદનમાં વૃદ્વિને કારણે આ સીઝન દરમિયાન ખાંડની નિકાસ 9 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા ISMAએ વ્યક્ત કરી હતી. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ISMA) અનુસાર, શેરડીના રસ, સિરપ અને મોલાસિસને ઇથેનોલમાં ફેરવવાને કારણે ખાંડના ઉત્પાદનમાં 45 લાખ ટનના ઘટાડા બાદ 2022-23માં ખાંડનું ઉત્પાદન 36.5 મિલિયન ટનની આસપાસ રહેવાની સંભાવના છે.

માર્કેટિંગ સીઝન 2022-23માં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 12.3 મિલિયન ટન, મહારાષ્ટ્રમાં 15 મિલિયન ટન અને કર્ણાટકમાં 7 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 12 ટકા સંમિશ્રણનો લક્ષ્યાંક હાંસલ થવાની ધારણા હોવાથી ઇથેનોલના ઉત્પાદન માટે ખાંડનું ડાયવર્ઝન 32 ટકા વધીને 45 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે 2021-22ની સીઝનમાં 34 લાખ ટન થયું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow