USમાં હિન્દુ સંગઠનોના ફન્ડિંગની તપાસ

USમાં હિન્દુ સંગઠનોના ફન્ડિંગની તપાસ

ન્યૂયોર્ક અમેરિકાનાં અનેક રાજ્યોમાં 60થી વધુ હિન્દુ સંગઠન ડેમોક્રેટિક સરકાર સામે વિરોધમાં ઉતર્યા છે. ખાસ કરીને કેલિફોર્નિયા અને ન્યૂજર્સીમાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો વિરુદ્ધ હિન્દુઓ ગુસ્સે છે. વાત એમ છે કે, હાલમાં જ ન્યૂજર્સીમાં ટીનેક ડેમોક્રેટિક મ્યુનિસિપલ કમિટી (ટીડીએમસી)ના અધ્યક્ષ એલેક્ઝાન્ડ્રા સોરિયાનો-ટાવેરેસના નેતૃત્વમાં હિન્દુ સંગઠનો વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ઈન્ટરનેશનલ, હિન્દુ સ્વયંસેવક સંઘ સહિત 60 સંગઠનોને ફાસીવાદી ગણાવ્યાં છે. આ પ્રસ્તાવમાં ત્યાં સુધી લખ્યું છે કે, ‘આ સંગઠનો નફરત અને આતંકને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ ભારત અને અમેરિકામાં લઘુમતી વિરુદ્ધ નફરત ફેલાવે છે.’ બીજી તરફ, ડેમોક્રેટિક સેનેટર બોબ મેન્ડેઝ અને કોરી બુકરને અમેરિકામાં સક્રિય હિન્દુ સંગઠનોના ફન્ડિંગની તપાસ કરવાનું કહેવાયું છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનામાં થયેલી ઘટનાઓને લઈને હિન્દુ વિરોધી લોકોએ આ સંગઠનો પર નિશાન સાધ્યું હતું. પહેલી ઘટના સ્વતંત્રતા દિવસની પરેડની છે, જેમાં બુલડોઝરને સફળતાનું પ્રતીક ગણાવવાનો પ્રયાસ કરાયો હતો. અનેક અમેરિકન સંગઠનોએ તેને ભાગલાનું પ્રતીક ગણાવીને ટીકા કરી હતી. ત્યાર પછી રાજકીય અને સામાજિક સંગઠનોએ સાધ્વી ઋતંભરાના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો, જેથી તે રદ કરવો પડ્યો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow