પાક. ઓડિયો લીક: ગુપ્તચર એજન્સીનો હાથ હોવાની શક્યતા

પાક. ઓડિયો લીક: ગુપ્તચર એજન્સીનો હાથ હોવાની શક્યતા

પાકિસ્તાનની અનેક રાજકીય હસ્તીઓના વાતચીતનો ઓડિયો લીક થતા ખળભળાટ મચી ગયો છે. પીએમઓમાં થયેલી વાતચીતના કુલ ચાર ઓડિયો ક્લિપ બહાર આવ્યા છે. તે 100 કલાકથી પણ વધુ લાંબા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પણ આ લીક સાથે સંકળાયેલા છે.

તેમના તત્કાલીન મુખ્ય સચિવ આઝમ ખાન સાથે વાતચીત કરતા ઓડિયો લીક થયા છે. ઈમરાને કહ્યું કે પીએમ આવાસમાં તેમની અને આઝમ વચ્ચે થયેલી વાતચીત લીક થવી એ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે. આ દેશ માટે ખતરો છે. ઓડિયો ફાઈલ્સ લીક થયા પછી પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને પીએમ શાહબાઝના રાજીનામાની માગ કરી હતી.

બીજી બાજુ પીએમ શાહબાઝે આ મામલે તપાસ માટે વિશેષ સમિતિ બનાવી છે. શાહબાઝે કહ્યું કે આ ગંભીર ચૂક છે. જો આવું જ થતું રહેશે તો પીએમ હાઉસમાં વડાપ્રધાનને મળવા કોણ આવશે? લોકો 100 વખત વિચારશે. શાહબાઝે કહ્યું કે મને સત્તામાંથી બેદખલ કરવા આ કાવતરું ઘડાયું છે.

રાજકીય નિષ્ણાત ઈમ્તિયાઝ ગુલ અનુસાર ઓડિયો લીક થવું ઈમરાનની તરફેણમાં છે. તેનાથી તેમને રાજકીય લાભ થવાની આશા છે. ગુલે કહ્યું કે પીએમઓથી લીક ઓડિયો ફાઈલ્સ પાછળ હાઈ-પ્રોફાઈલ ગુપ્તચર એજન્સીઓનો હાથ હોઈ શકે છે. લીકનો ઉદ્દેશ્ય નેતાઓને તેમની રાજકીય હદમાં રહેવાની ચેતવણી હોઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow