અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ધૂમ

અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ધૂમ

પહેલીવાર અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરા મનાવાશે. વિદેશોમાં ભારતીયોની વસતી વધી રહી છે તેમ તેમ ત્યાં ભારતીય તહેવારો પણ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના લગભગ દરેક મોટા શહેરમાં રામલીલાનું આયોજન થઇ રહ્યું છે. તે માટે રાવણના પૂતળા પહેલાં ભારતથી આયાત કરાતા હતા પણ હવે અમેરિકામાં જ બની રહ્યા છે.

અમેરિકાના લગભગ અડધા રાજ્યો અને 40 શહેરે ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મન્થ જાહેર કર્યો છે. આ વખતે નવરાત્રિ, દુર્ગાપૂજા, દશેરા અને દિવાળી જેવા મહત્વના તહેવારો આ મહિનામાં જ આવી રહ્યા છે. અમેરિકાના વિકાસમાં ત્યાં રહેતા હિન્દુઓનું યોગદાન ધ્યાનમાં રાખીને ઘણાં રાજ્યોએ આ નિર્ણય લીધો છે. ઇન્ડો-એશિયન ફેસ્ટિવલ ગ્રુપનાં ચેરપર્સન ચંચલ ગુપ્તા કહે છે કે અમેરિકામાં જન્મેલા આપણા સંતાનો નથી જાણતા કે રામ-સીતા કોણ હતા? અમે આપણી આવનારી પેઢીઓને આપણી સંસ્કૃતિથી વાકેફ કરવા ઇચ્છીએ છીએ, જેથી આપણા તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ.

અમેરિકામાં ભારતીય તહેવારો મોટા પાયે મનાવાય છે. રાજ્ય સરકારો અને શહેરોના સ્થાનિક તંત્ર ફંડ કરવા લાગ્યા છે. કેટલીક કંપનીઓ પણ આ તહેવારો સ્પોન્સર કરી રહી છે. ન્યૂજર્સી દશેરાને રાજ્ય સરકારનો સંસ્કૃતિ વિભાગ નાણાકીય સહાય કરે છે.

ટેક્સાસ, ઓહિયો, ન્યૂજર્સી અને પેન્સિલ્વેનિયા જેવા શહેરો-રાજ્યો પણ દશેરા આયોજનમાં નાણાકીય મદદ કરી રહ્યા છે. કલાકાર કૃષ્ણા સિંઘલ કહે છે કે તેઓ પહેલાં રાવણનું માત્ર 1 પૂતળું બનાવતા જ્યારે આ વર્ષે 6 બનાવ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow