ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળાએ એક પોલીસ ચીફની હત્યા કરી દીધી હતી. અધિકારીનું નામ કર્નલ અબ્દલ્લાહી છે. કુર્દીસ્તાનના મારિવનમાં પોલીસ તેમના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહી હતી.

મોરલ પોલીસની કસ્ટડીમાં કુર્દિશ યુવતી મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધી 133 લોકોના મોત થયા છે.

ઈરાનમાં માનવઅધિકાર માટે કામ કરી રહેલા લોકોને ડર છે કે પોલીસ ચીફની હત્યા બાદ ઈરાની સેના IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નરસંહાર શરૂ કરી શકે છે. માનવઅધિકાર સમૂહ હેંગાવે જણાવ્યું કે તમામ કુર્દિશ પ્રભાવિત શહેરોને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રૂપ અનુસાર, પ્રદર્શનમાં 133 પ્રદર્શનકારીઓની મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મરનારની સંખ્યા આનાથી વધારે હોઈ શકે છે. જેમ મરનારની સંખ્યા વધી રહી છે, તેમ પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ વધી રહ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow