ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળાએ એક પોલીસ ચીફની હત્યા કરી દીધી હતી. અધિકારીનું નામ કર્નલ અબ્દલ્લાહી છે. કુર્દીસ્તાનના મારિવનમાં પોલીસ તેમના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહી હતી.

મોરલ પોલીસની કસ્ટડીમાં કુર્દિશ યુવતી મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધી 133 લોકોના મોત થયા છે.

ઈરાનમાં માનવઅધિકાર માટે કામ કરી રહેલા લોકોને ડર છે કે પોલીસ ચીફની હત્યા બાદ ઈરાની સેના IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નરસંહાર શરૂ કરી શકે છે. માનવઅધિકાર સમૂહ હેંગાવે જણાવ્યું કે તમામ કુર્દિશ પ્રભાવિત શહેરોને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રૂપ અનુસાર, પ્રદર્શનમાં 133 પ્રદર્શનકારીઓની મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મરનારની સંખ્યા આનાથી વધારે હોઈ શકે છે. જેમ મરનારની સંખ્યા વધી રહી છે, તેમ પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ વધી રહ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow