રિટેલ ગોલ્ડ જ્વેલરી માર્કેટનો 35 ટકા બજાર હિસ્સો : WGC

રિટેલ ગોલ્ડ જ્વેલરી માર્કેટનો 35 ટકા બજાર હિસ્સો : WGC

છેલ્લા 1 દાયકામાં ભારતીય રિટેલ જ્વેલરી માર્કેટમાં બદલાવ જોવા મળ્યો છે જે ગ્રાહકોની પસંદગી અને સરકારના નિયમોને લીધે જોવા મળ્યો છે. ગ્રાહકોની પ્રાથમિક્તા બદલાતા ઉદ્યોગ અને ગ્રાહકોને વધુ સારા ખરીદીના અનુભવ, પારદર્શક કિંમત, બાયબેક પોલિસી અને ઓનલાઈન તથા બિલ દ્વારા ટ્રાન્ઝેક્શનની મદદથી ખરીદીમાં વધારાએ ઉદ્યોગને સંગઠિત કરી છે.

તેને પરિણામે છેલ્લા 10-15 વર્ષમાં ચેઇન સ્ટોર્સમાં વધારો થયો છે, 2021માં તેણે બજારનો કુલ 35 ટકા હિસ્સો મેળવ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાન્સિલના એક અહેવાલમાં દર્શાવાયું છે. વધુ સારી ડિઝાઈન અને ગ્રાહકોના અનુભવમાં સુધારાની માંગ, હોલમાર્કિંગ અંગેની જાગૃતતા, વધુ સારું ભાવનું માળખું અને હરિફાઈયુક્ત રિટર્ન પોલિસીએ ચેઇન સ્ટોર્સ તરફ લોકોના જુકાવને વેગ આપ્યો છે.

ચેઇન સ્ટોર્સની સાથે રાષ્ટ્રિય ઓપરેશન્સ,માં રોજિંદા પહેરવેશ તથા જલ્દીથી બદલાઈ તેવી જ્વેલરી પર ધ્યાન કેન્દ્રિત થયું છે અને આ વસ્તુઓ તેમના બિઝનેસમાં 50-60 ટકા હિસ્સો ધરાવે છે. આ અહેવાલમાં આગામી 5 વર્ષનો અંદાજ છે, ચેઇન સ્ટોર્સએ સતત વિસ્તરી રહ્યા છે.

ઇન્ટરનેટનો વધતો જતો વ્યાપ અને સ્માર્ટફોનના વેચાણમાં ઉછાળાને પગલે, નવી પેઢીની માંગ વધતા ભારતીય ઓનલાઈન જ્વેલરી માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. મોટાભાગનું વેચાણ જે ગ્રાહકોને થયું છે, તેમની ઉંમર 18થી 45ની વચ્ચેની છે. રસપ્રદ રીતે, જ્યારે ઓનલાઈન જ્વેલરીની ખરીદી વધી છે, તો પણ સરેરાશ ટીકીટ સાઇઝ ફક્ત 5થી 10 ગ્રામની વચ્ચે જ રહી છે.છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow