નખત્રાણામાં દશેરાએ બ્રાહ્મણો કરશે રાવણ દહનનો બહિષ્કાર

નખત્રાણામાં દશેરાએ બ્રાહ્મણો કરશે રાવણ દહનનો બહિષ્કાર

દેવાધિદેવ મહાદેવનો ઉપાસક રાવણ એક શક્તિશાળી વ્યક્તિ હતો. તેને મળેલા શ્રાપ મુજબ રામના હાથે મૃત્યુ થયું હતું એ જોતાં રાવણના પૂતળાનું દહન કરવું યોગ્ય નથી તેમ નખત્રાણા ખાતે યોજાયેલી તાલુકા બ્રહ્મ સમાજની બેઠકમાં જણાવાયું હતું. આ સંજોગોમાં નખત્રાણા ખાતે દશેરાએ યોજાનારા રાવણ દહનના કાર્યક્રમો બહિષ્કાર કરાશે તેવો નિર્ણય બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો.

તાલુકાભરના જ્ઞાતિ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં સમગ્ર તાલુકામાંથી કોઈપણ બ્રાહ્મણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ નહી લે તેમ ઠરાવાયું હતું. આ તકે જણાવાયું હતું કે, રાવણ એક મહા શક્તિશાળી વ્યક્તિ હતો અને મહાદેવનો ઉપાસક હતો તે અસુરી શક્તિ ધરાવતો હતો પરંતુ જન્મે બ્રાહ્મણ હતો.

ભગવાન રામના હાથે મૃત્યુ થશે તેવો તેને શ્રાપ મળ્યો હતો અને તે માટે તેમણે સીતાજીનું હરણ કરવાનું પગલું ભર્યું હતું. આ કારણે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી સૌ આગેવાનોએ એકસુરે વાત કરી હતી. તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ જોશી, ઉપપ્રમુખ દિનેશ જોશી, રાજેશ જોશી, પરશુરામસેનાના પ્રમુખ મિતેશ સોનપાર, કમલેશ રાવલ, અનિલ રાજગોર, વિશાલ જોશી, ભાવિન રાજગોર જયમીન નબોટી ધર્મેશ જોષી રાજભાઇ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow