રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી 5 ટકા જેટલા ઊભા પાકને નુકસાન થયું

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી 5 ટકા જેટલા ઊભા પાકને નુકસાન થયું

માવઠાને કારણે પાકને નુકસાની થઇ હોવાની જસદણ પંથકમાંથી વધુ પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે. જેને લઈને જસદણ પંથકમાં સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે રાજકોટ જિલ્લામાં 95 ટકા પાકની લણણી થઇ ચૂકી હોય નુકસાનીનો આંક ઓછો હોવાનું ખેતીવાડી શાખામાંથી જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સતત બે દિવસથી માવઠું થયું છે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા ત્યારે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે ગઈકાલે પડેલા વરસાદને કારણે ખેતરમાં રહેલા ઘઉંના ઊભા પાકને નુકસાની થઇ હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે નુકસાનીનો અંદાજ ખૂબ ઓછો છે કારણ કે, રાજકોટ જિલ્લાની ખેતીલાયક જમીનમાં 95 ટકા પાકની લણણી થઇ ચૂકી છે. કેટલાક તાલુકામાં ઊભા પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જેમાં અત્યાર સુધીમાં જસદણ તાલુકામાં નુકસાની અંગેની સૌથી વધારે ફરિયાદો આવી છે.

હાલ જિલ્લામાં માત્ર 5 ટકા જેટલો પાક ખેતરમાં ઊભો હોવાની શક્યતા છે જેને નુકસાન થયું હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. માવઠાને કારણે નુકસાની અંગેની પડધરી, લોધિકા, ગોંડલ તાલુકામાંથી કેટલીક ફરિયાદો આવી છે, પરંતુ મોટા પ્રમાણમાં હજુ ફરિયાદો આવી નથી. માવઠાને કારણે પાકના ઉત્પાદનમાં કોઈ તફાવત નહીં પરંતુ ગુણવત્તામાં ચોક્કસ અસર દેખાશે.

ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત
રાજકોટના ત્રંબામાં ત્રિવેણી નદી નજીક વાડી ધરાવતાં અને વાડીના મકાનમાં જ રહેતા કમલેશભાઇ ભીખાભાઇ ટીંબડિયા (ઉ.વ.44) સોમવારે સાંજે છ વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, વાડીમાં ઘઉં વાઢી લેવાયા હતા,

વધેલા પારાને વરસાદથી બચાવવા તાલપત્રી લઇને કમલેશભાઇ દોડ્યા હતા અને પારાને તાલપત્રી ઢાંકી રહ્યા હતા તે વખતે જ તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતાં જ કમલેશભાઇ બેભાન થઇને ઢળી પડ્યા હતા. નજર સામે જ કમલેશભાઇ વીજળી પડવાથી બેભાન થઇ જતાં ટીંબડિયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો અને કમલેશભાઇને બેભાન હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow