યુક્રેને 20 કિલો બોમ્બ સાથેના ચીનના ડ્રોનને અંતે ફૂંકી માર્યું

યુક્રેને 20 કિલો બોમ્બ સાથેના ચીનના ડ્રોનને અંતે ફૂંકી માર્યું

યુક્રેનની સેનાએ પૂર્વીય વિસ્તારમાં ચીનમાં બનેલા મ્યૂઝિન-5 ડ્રોનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. ચીનની કંપની મ્યૂઝિને પણ આ ડ્રોન પોતાનું હોવાની પુષ્ટી કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રશિયા સામેની લડાઇમાં હવે ચીનની પણ એન્ટ્રી થઇ છે. ડ્રોનની અંદર 20 કિલોનો બોમ્બ પણ હતો. જોકે યુક્રેની સેના દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરાયો હતો. રવિવાર સવારે ચીનમાં બનેલા આ આધુનિક અને હથિયારથી સજ્જ ડ્રોનને યુક્રેનની સેનાએ ફાયરિંગ કરીને ઉડાવી દીધું હતું. યુક્રેનની ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની 111મી બ્રિગેડના જવાનોએ શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ AK-47 રાઈફલ્સથી ગોળીઓ ચલાવીને ડ્રોનને જમીનદોસ્ત કરાયું હતું.

પુટિનને મળવા જિનપિંગ રશિયા જશે : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20થી 22 માર્ચના સમયગાળા દરમિયાન રશિયાના પ્રવાસે જશે. પુટિનના વર્ષો જૂના સાથી જિનપિંગ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિમંત્રણા શરૂ કરવાનો પ્રયાસ કરે તેવી અટકળો વહેતી થઇ છે. જિનપિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર ચર્ચા કરે તેવી પણ આશા વ્યક્ત કરાઇ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જિનપિંગની આ પ્રથમ રશિયાની મુલાકાત હશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow