યુજીસી 300 વિદ્યાર્થીઓને એમ્બેસેડર બનાવશે

યુજીસી 300 વિદ્યાર્થીઓને એમ્બેસેડર બનાવશે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ ઉચ્ચ શિક્ષણમાં સુધારાને પ્રોત્સાહન આપવા માટે યુજીસીદેશભરમાં 300 વિદ્યાર્થીઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે. આ વિદ્યાર્થીઓને એનઇપી-સારથી કહેવામાં આવશે. યુજીસીચેરમેન પ્રો. એમ જગદેશ કુમારે કહ્યું છે કે, પંચે એનઇપીની જોગવાઇઓને અમલી કરવા માટે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને વધારવાનો નિર્ણય કર્યો છે. પંચે તમામ યૂનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજનાં કુલપતિઓ, નિર્દેશકો, અને પ્રિન્સિપાલોને ત્રણ ત્રણ વિદ્યાર્થીઓનાં નામ મોકલવા માટે કહ્યું છે. એનઇપી-સારથી એનઇપી હેઠળ ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં કરવામાં આવી રહેલી પહેલ પ્રત્યે જાગરુકતા ફેલાવશે.

સારથી બનવા માટે વિદ્યાર્થી રચનાત્મક રહે તે જરૂરી છે
ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કોઇ પણ સ્તરનાં વર્તમાન વિદ્યાર્થીને સામેલ કરવામાં આવી શકે છે. પસંદગી પામેલા વિદ્યાર્થી વ્યક્તિત્વની દ્રષ્ટિએ અસામાન્ય રહે તે જરૂરી છે. ઉપરાંત વાત રજૂ કરવામાં કુશળતાની સાથે વિદ્યાર્થી રચનાત્મક રહે તે જરૂરી છે. સંસ્થાઓ એનઇપી-સારથી માટે પ્રસ્તાવ જૂનની છેલ્લી તારીખ સુધી મોકલી શકશે. જુલાઇમાં 300 એનઇપી-સારથીનાં નામોની જાહેરાત કરવામાં આવશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow