ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસે પાણીની પાઇપ લાઈન લીકેજના પશ્નને લઈને સિમેન્ટ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે નગરપાલિકા તંત્રએ બે ઊંડા ખાડાઓ ખોદી નાખ્યા છે, અને ખાડાની આસપાસ સાઈન બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યા. મસમોટા ખાડા કે જેમાં નજીક માટી પાથરી દેવાઇ છે તેમાં એક બાઈક સવારમાં બે યુવાન બાઈક સહિત ખાબકયા હતા. બાઈક સવાર બન્નેને ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ સિવિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુંદાળા દરવાજા સાઈડ થી જેલ ચોક જવાના રોડ પર ક્યાંય સૂચના કે બોર્ડ રાખવામાં આવ્યા નથી. સદનસીબે યુવાનોને માત્ર ઇજા થવા પામી હતી.

રોડની એક જ બાજુ બોર્ડ , બીજી તરફ રેઢાપડ!
તંત્ર દ્વારા આડેધડ રોડનું ખોદકામ કરીને રોડ બંધ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ રોડની બન્ને બાજુ સૂચના કે બોર્ડ રાખવાના બદલે એક સાઈડ જ સૂચન બોર્ડ રાખવામાં આવ્યા છે અન્ય સાઈડ ખુલ્લું રાખવામાં આવ્યું છે, બંને તરફ બોર્ડ મુકવા જરૂરી છે.

ગુંદાળા દરવાજે આ જ સ્થિતિ !
ગુંદાળા દરવાજા પાસે પણ ખોદકામ કરાઇ રહ્યું છે. તો જેલ ચોકથી વાહનોને ડાયવર્ઝન આપી દેવાયું છે. જો અહીં પણ બોર્ડ કે દિશાસૂચન મૂકવામાં તંત્રની ઢીલી નીતિ હોઈ તેવું લાગી રહ્યું છે. આ બન્ને ખાડામાં અકસ્માતે કોઇ પડશે અને મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની ?

ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે. ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow