દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, અને આ મહોત્સવમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અનેક લોકો ચાલીને દ્વારકા જઇ રહ્યા છે, ચોટીલાના પિયાવાથી નીકળેલો પદયાત્રી સંઘ રવિવારે જામનગર રોડ પર લૈયારા પાસે પહોંચ્યો હતો ત્યારે ચાલી રહેલા બે પ્રૌઢને કારે ઉલાળ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી.

ચોટીલાના પિયાવા ગામથી ત્રણ દિવસ પૂર્વે પદયાત્રી સંઘ દ્વારકા જવા નીકળ્યો હતો, જય દ્વારકાધીશના નાદ સાથે સંઘ આગળ વધતો હતો અને રસ્તામાં ઠેરઠેર તેનું સ્વાગત પણ થતું હતું, રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં જામનગર રોડ પર લૈયારા પાસે સોમનાથ હોટેલ નજીક સંઘ પહોંચ્યો હતો ત્યારે પાછળ‌થી પુરપાટ ઝડપે અજાણી કાર ધસી આવી હતી અને પિયાવાના પદયાત્રી હામાભાઇ રાજાભાઇ ધગેલ (ઉ.વ.65) અને રામુભાઇ સામતભાઇ જોગરાજવા (ઉ.વ.50)ને ઉલાળ્યા હતા, કારે બંનેને ફૂટબોલની જેમ ઉલાળતાં અન્ય પદયાત્રીઓમાં સન્નાટો છવાઇ ગયો હતો અને ઘવાયેલા ઉપરોક્ત બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાથી ગંભીર રીત ઘવાયેલા રામુભાઇ જોગરાજવાનું મોત નીપજ્યું હતું.

રાજુભાઇ જોગરાજવાના મૃત્યુના સમાચાર મળતાં પદયાત્રી સંઘ અને પિયાવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, ધ્રોલ પોલીસે હામાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow