દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

દ્વારકા જઇ રહેલા બે પદયાત્રીને કારે ઉલાળ્યા: એકનું મોત, બીજાને ઇજા

હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, અને આ મહોત્સવમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અનેક લોકો ચાલીને દ્વારકા જઇ રહ્યા છે, ચોટીલાના પિયાવાથી નીકળેલો પદયાત્રી સંઘ રવિવારે જામનગર રોડ પર લૈયારા પાસે પહોંચ્યો હતો ત્યારે ચાલી રહેલા બે પ્રૌઢને કારે ઉલાળ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી.

ચોટીલાના પિયાવા ગામથી ત્રણ દિવસ પૂર્વે પદયાત્રી સંઘ દ્વારકા જવા નીકળ્યો હતો, જય દ્વારકાધીશના નાદ સાથે સંઘ આગળ વધતો હતો અને રસ્તામાં ઠેરઠેર તેનું સ્વાગત પણ થતું હતું, રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં જામનગર રોડ પર લૈયારા પાસે સોમનાથ હોટેલ નજીક સંઘ પહોંચ્યો હતો ત્યારે પાછળ‌થી પુરપાટ ઝડપે અજાણી કાર ધસી આવી હતી અને પિયાવાના પદયાત્રી હામાભાઇ રાજાભાઇ ધગેલ (ઉ.વ.65) અને રામુભાઇ સામતભાઇ જોગરાજવા (ઉ.વ.50)ને ઉલાળ્યા હતા, કારે બંનેને ફૂટબોલની જેમ ઉલાળતાં અન્ય પદયાત્રીઓમાં સન્નાટો છવાઇ ગયો હતો અને ઘવાયેલા ઉપરોક્ત બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાથી ગંભીર રીત ઘવાયેલા રામુભાઇ જોગરાજવાનું મોત નીપજ્યું હતું.

રાજુભાઇ જોગરાજવાના મૃત્યુના સમાચાર મળતાં પદયાત્રી સંઘ અને પિયાવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, ધ્રોલ પોલીસે હામાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow