જોશીમઠમાં વધુ બે હોટલ નમી પડી

જોશીમઠમાં વધુ બે હોટલ નમી પડી

ઉત્તરાખંડમાં જોશીમઠમાં વધુ બે હોટલ નમવા લાગી છે. આ બંને હોટલનું નામ સ્નો ક્રેસ્ટ અને કોમેટ છે. બંને હોટલની વચ્ચે અંદાજે 4 ફૂટનું અંતર હતું, જે હવે ખૂબ ઓછું રહ્યું છે. આ બંને હોટલ છત એકબીજાને અડી ગઈ છે, એટલે કે હવે આ બંને હોટલ ગમે ત્યારે એકબીજાને અથડાઈ શકે છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંને હોટલ ખાલી કરાવી દેવામાં આવી છે. આ બંને હોટલથી 100 મીટર દૂર છે હોટલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂ. આ બંને હોટલને પાડવાની પ્રક્રિયા રવિવારે શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, જોશીમઠને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

જોશીમઠ-ઔલી રોપવે પાસે મોટી તિરાડી પડી છે. આ રોપવેને એક સપ્તાહ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે. રોપવે એન્જિનિયર દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે આ રોપવે પાસે એક દીવાલમાં ચાર ઈંચ પહોળી અને 20 ફૂટ લાંબી તિરાડ પડી છે.

આ વિસ્તારમાં તિરાડો પડી હોય એવાં ઘરોની સંખ્યા 723થી વધીને 826 થઈ ગઈ છે. એમાંથી 165 ઘર જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યની ડિઝાસ્ટર સંસ્થાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 223 પરિવારોને રિલીફ સેન્ટરમાં શિફ્ટ કરી દેવામા આવ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow