રાજકોટમાં ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરી

રાજકોટમાં ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરી

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરતા દેકારો મચી ગયો હતો. બે પૈકીના એક શખ્સે અગાઉ મહિલાના પતિ પર છરીથી હુમલો કર્યો હતો, ત્યારથી તે શખ્સ મહિલા પર ઘૂરકિયા કરતો હતો અને ઘરમાં ઘૂસી પજવણી કરી હતી. પોલીસે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

ગાંધીગ્રામ વિસ્તારની સોસાયટીમાં રહેતી 18 વર્ષની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષિરાજ ગોહિલ તથા તેની સાથેનો એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ નાણાવટી ચોકમાં ભાગીદારીમાં રસનો ચિચોડો ચલાવતા હતા, પોતે જ્યારે પતિને ટિફિન દેવા જતાં હતા ત્યારે ઋષિરાજ ગોહિલ તેની સામે ખરાબ નજરે જોતો હતો. મહિલાએ આ અંગે તેના પતિને રાવ પણ કરી હતી. ઋષિરાજે ચારેક વર્ષ પહેલા મહિલાના પતિને છરીનો ઘા પણ ઝીંક્યો હતો, પરંતુ તત્કાલીન સમયે સમાધાન થઇ જતાં ફરિયાદ કરી નહોતી.

ઋષિરાજના ત્રાસથી કંટાળી મહિલાના પતિએ ચિચોડે જવાનું બંધ કરી દીધું હતું અને જાહેરાતના બોર્ડ લગાવવાનું કામ શરૂ કર્યું હતું. ગુરુવારે રાત્રે દશેક વાગ્યે ઋષિરાજ ગોહિલ અન્ય એક શખ્સ સાથે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો પતિ ક્યા છે તેનો નંબર આપો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો અને ઋષિરાજે મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાને પગલે દેકારો થતાં મહિલાના સાસુ અને નણંદ ત્યાં દોડી ગયા હતા અને તેણે ઋષિરાજ અને તેની સાથેના શખ્સને બહાર કાઢ્યા હતા, જતી વખતે પણ બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow