રાજકોટમાં આપઘાતના બે બનાવ

રાજકોટમાં આપઘાતના બે બનાવ

રાજકોટ જિલ્લામાં ગુરુવારે આપઘાત એક સાથે બે બનાવ સામે આવ્યા હતા. જ્યાં પ્રથમ કિસ્સામાં શિવપરામાં રહેતા આધેડે આર્થિકભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે અન્ય કિસ્સામાંન્યારા ગામે પરિણીતાએ વખ ઘોળી અંતિમ પગલું ભર્યું હતું. જેને પગલે આપઘાતનું કારણ જણાવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક મજુરી કામ કરી ગુજરાન ચલાવતો
રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતા જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીતેન્દ્રસિંહ જાડેજા બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો અને મજુર કામ કરી ગુજરાન ચલાવતો હતો. જીતેન્દ્રસિંહ જાડેજાને કામધંધો નહીં મળતા આર્થિકભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હતા
પડઘરી તાલુકાના ન્યારા ગામે રામભાઇ વાડોદરની વાડીએ ખેતમજુરી કામ કરનાર જયોતી સુરેશભાઇ અમલીયાર (ઉ.વ 24) નામની પરિણીતાએ વહેલી સવારે વાડીએ કોઇ કારણસર ખડમાં નાખવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામા આવી હતી. અહીં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું. પરિણીતાનો લગ્નગાળો સાત વર્ષનો હોવાનું અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણીએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો પણ અજાણ હોય પોલીસે પરિણીતાના આપઘાતનું કારણ તપાસ હાથ ધરી છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow