તુર્કીમાં આતંકવાદી હુમલો

તુર્કીમાં આતંકવાદી હુમલો

તુર્કીના ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. 81 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ ગીચ સાંકડી ગલીમાં લગભગ 4.15 કલાકે થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્લાસ્ટ એક મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો.

અલ જઝીરાએ સૂત્રોને ટાંકીને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે હુમલામાં 3 લોકો સામેલ હતા. જેમાં એક મહિલા અને બે યુવકો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે- એક મહિલા લગભગ 40 મિનિટ સુધી શેરીમાં રાખવામાં આવેલી બેન્ચ પર બેઠી હતી. આ પછી, તે ભીડવાળી જગ્યાએ બેગ મૂકીને બહાર નીકળી ગઈ. થોડીવાર પછી વિસ્ફોટ થયો. આ બેગમાં બોમ્બ હોવાનું માનવામાં આવે છે.

તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટેએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વિસ્ફોટને અંજામ આપનાર ગુનેગાર એક મહિલા હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું- અમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. વિસ્ફોટમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સારવાર દરમિયાન 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલાની વિગતો માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

બ્લાસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં, ઘણા લોકો શેરીમાં આગળ વધી રહ્યા છે જ્યારે તે શેરીમાં જોરથી બ્લાસ્ટ થાય છે. શેરીમાં પ્રવેશતા લોકો તરત જ બહાર દોડવા લાગે છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow