તત્કાલ વિન્ડો ટિકિટ માટે હવે OTP જરૂરી

તત્કાલ વિન્ડો ટિકિટ માટે હવે OTP જરૂરી

ભારતીય રેલવે તત્કાલ ટિકિટોના કાઉન્ટર બુકિંગમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે પેસેન્જર્સને ટિકિટ કન્ફર્મ કરવા માટે મોબાઈલ પર OTP વેરિફાય કરવો પડશે. આ સિસ્ટમ આગામી કેટલાક દિવસોમાં દેશભરની તમામ ટ્રેનો પર લાગુ થઈ જશે.

સાથે જ ટ્રેન ચાર્ટ તૈયાર કરવાનો સમય પણ 4 કલાકથી વધારીને 8 કલાક પહેલા કરી દેવામાં આવશે. આનાથી વેઇટિંગ લિસ્ટવાળા પેસેન્જર્સને પ્લાનિંગ માટે વધુ સમય મળશે. પાયલટ પ્રોજેક્ટ 17 નવેમ્બરે 52 ટ્રેનો પર શરૂ થયો હતો, જે સફળ રહ્યો.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ચાર્ટ ટાઈમિંગના ફેરફારને મંજૂરી આપી છે. આ પગલાં તત્કાલ ક્વોટામાં ખોટા ઉપયોગને રોકવા અને ઈમાનદાર પેસેન્જર્સને સરળતા આપવા માટે ઉઠાવવામાં આવ્યા છે. પહેલાથી જ ઓનલાઈન તત્કાલ બુકિંગમાં આધાર વેરિફિકેશન અને જનરલ રિઝર્વેશનમાં OTP ચાલુ થઈ ચૂક્યો છે.

ફર્જી બુકિંગ અટકશે અને યાત્રીઓને ફાયદો મળશે

તત્કાલ ટિકિટની ખૂબ માંગ હોય છે, આ કારણે કાઉન્ટર પર લાંબી લાઈનો લાગે છે. હવે જ્યારે કોઈ પેસેન્જર કાઉન્ટર પર ટિકિટ બુક કરશે, ત્યારે તેના મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કર્યા પછી જ ટિકિટ કન્ફર્મ થશે. આનાથી નકલી બુકિંગ અટકશે અને સાચા મુસાફરોને ફાયદો થશે.

રેલવે અનુસાર, આ સિસ્ટમ પહેલાથી જ જનરલ બુકિંગ માટે સફળતાપૂર્વક ચાલી રહી છે. ઓક્ટોબર 2025 થી આ સુવિધા શરૂ થઈ હતી, જેનો પ્રતિસાદ સારો રહ્યો. જુલાઈ 2025 માં ઓનલાઈન તત્કાલ માટે આધાર આધારિત ઓથેન્ટિકેશન ઉમેરવામાં આવ્યું હતું, જે છેતરપિંડી ઘટાડવામાં મદદરૂપ સાબિત થયું. હવે કાઉન્ટર બુકિંગને પણ આ જ રીતે સુરક્ષિત બનાવવામાં આવી રહ્યું છે.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow
નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો

નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો

હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ

By Gujaratnow