ઘરના મેનગેટ માટે અજમાવો આ સરળ ફેંગશુઈ ઉપાય, થશે ભાગ્યોદય

ઘરના મેનગેટ માટે અજમાવો આ સરળ ફેંગશુઈ ઉપાય, થશે ભાગ્યોદય

મહેતન કર્યા બાદ પણ સફળતા પ્રાપ્ત થતી નથી તો અપનાવો આ ઉપાય

ફેંગશુઈ ચીનનુ વાસ્તુ શાસ્ત્ર છે. ફેંગ અને શુઈનો શાબ્દિક અર્થ છે વાયુ અને જળ. વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈ પણ ઘર અને તેની આજુબાજુની ચીજ વસ્તુઓ અંગે જાણકારી આપે છે. જેમાં એવી ચીજ વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જે ઘરમાં સુખ-સમૃદ્ધી અને ખુશહાલી લાવે છે. જો તમને લાગે છે કે ઘરને કોઈની નજર લાગી ગઇ છે અથવા પછી મહેનત કર્યા બાદ પણ સફળતા પ્રાપ્ત થતી નથી તો તમને ફેંગશુઈમાં વર્ણવેલા અમુક સરળ ઉપાય અપનાવવા જોઈએ. જાણો ઘરના મેનગેટ સાથે જોડાયેલા ફેંગશુઈ ઉપાય.

ઘરના મેનગેટ સાથે જોડાયેલા ફેંગશુઈ ઉપાય

  1. ફેંગશુઈ મુજબ, જો ઘરના મેનગેટની સામે કોઈ સ્તંભ હોય તો તેને તોડાવવાને કારણે તેના પર દર્પણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
  2. ફેંગશુઈ મુજબ ઘરના મુખ્ય દ્વાર પર એન્ટ્રી ગેટ હોવો જોઈએ. આ ગેટથી તમારા ઘરમાં સારો પ્રકાશ આવવો જોઈએ. મેનગેટની બાજુમાં કોઈ ગેરેજ અથવા અન્ય દરવાજો ન લગાવવો જોઈએ.
  3. જો ઘરનો મેનગેટ અવાજ કરી રહ્યો હોય તો તેને રિપેર કરાવી લો. ઘરના દરવાજામાંથી અવાજ આવતા એવુ લાગે છે કે દરવાજો રડી રહ્યો છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
  4. ઘરમાં સકારાત્મક એનર્જી માટે પોતાના ઘરના મુખ્ય દ્વારને નિયમિત રીતે સાફ કરાવો. જરૂરીયાત પડતા તેને પેઇન્ટ પણ કરાવી શકો છો.
  5. ફેંગશુઈ મુજબ ઘરના મુખ્ય દ્વારની પાસે એક બુક શેલ્ફ રાખવી જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
  6. પોતાના મુખ્ય દ્વારની સાફ-સફાઈનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. ઘરમાં પ્રવેશ કરતા પહેલા બૂટ-ચપ્પલ બહાર ઉતારો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી.
  7. ફેંગશુઈ મુજબ ઘરનો મુખ્ય દ્વાર અને પાછળનો દ્વાર સીધી રેખામાં ના હોવો જોઈએ. કારણકે આમ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરતાની સાથે બહાર નિકળી જાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow