દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

ગુલાબના ફૂલના આ નુસ્ખા અજમાવો, આર્થિક તંગીમાંથી મળશે છૂટકારો

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગ્રહોને શાંત અને મજબૂત કરવા માટે કરવામાં આવે છે.  

ગુલાબનુ ફૂલ ઘરને મહેકાવે તો છે જ પરંતુ તેની સાથે જોડાયેલા નુસ્ખા અને જ્યોતિષ ઉપાય પણ વિશેષ લાભ અપાવે છે.  

ધનલાભ અને સફળતા પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ અત્યંત ફળદાયી હોય છે. માનવામાં આવે છે કે ગુલાબના આ નુસ્ખા મનોકામનાની પૂર્તિ પણ કરે છે.  

ગુલાબના આ નુસ્ખાને અજમાવીને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવી શકાય છે. આવો જાણીએ ગુલાબના ફૂલ સાથેના આ ખાસ ઉપાયો અંગે.

ગુલાબના ફૂલના ચમત્કારિક નુસ્ખા

  1. મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલીને એક લાલ કપડામાં બાંધી લો. ઘરના મંદિરમાં આ પોટલીને એક અઠવાડિયા માટે મુકી દો. ત્યારબાદ તમે ગણેશજીની આરાધના કરો. એક અઠવાડિયા બાદ તેને ઉપાડીને ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે.
  2. જ્યોતિષ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ગુલાબના ફૂલમાં કપુરનો એક ટુકડો રાખીને સાંજના સમયે તેને પ્રગટાવી દો. હવે આ ફૂલને દેવી માંને ચઢાવો. આમ કરવાથી દેવાની સમસ્યા દૂર થઇ શકે છે.
  3. જો તમારું કામ વારંવાર અટકી જાય છે તો તેના માટે પાંચ પૂનમ સુધી ત્રણ ગુલાબ અને ત્રણ બિલિને જળમાં પ્રવાહિત કરવા જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી તમારા બધા બગડેલા કામ અટકવા લાગે છે.
  4. દેવા મુક્તિ માટે શુક્રવારના દિવસે એક સફેદ કપડાનો ચારો અને ગુલાબના ફૂલ બાંધી દો. હવે ગુલાબના આ દળને જળમાં પ્રવાહિત કરી દો. તમને પોતાની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
  5. 11 મંગળવાર સુધી બજરંગબલીને 11 ફૂલ ચઢાવવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને સર્વે મનોકામના પૂરી કરે છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow