સનાતન ધર્મના પ્રચાર માટે 101 દેશમાં યાત્રા

સનાતન ધર્મના પ્રચાર માટે 101 દેશમાં યાત્રા

નવી પેઢી અને વિદેશના લોકો ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું મહત્ત્વ સમજે તે માટે હિંદુત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદેશની ધરતી પર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા અયોધ્યાથી શરૂ થઈ છે અને વિશ્વના 101 દેશોમાં ફરશે. જ્યાં હિંદુ ધર્મની સસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 12 દેશમાં આ યાત્રા ફરી ચૂકી છે. 3 વર્ષ બાદ લંડન ખાતે ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે. કુલ 45 હજાર કિલોમીટરની રથયાત્રા છે.

આ અંગે વધુ માહિતી આપતા આયોજક જણાવે છે કે, અત્યારે સુધી યાત્રા સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, ભુતાન, બર્મા સહિત કુલ 12 દેશમાં ફરી ચૂકી છે. રાજકોટ-ભારતથી 15 લોકો જોડાયા છે. યાત્રા દરમિયાન ધાર્મિક ગ્રંથનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં જ્યાં જ્યાં ગયા ત્યાંથી પણ લોકોએ અમારી સાથે જોડાવવા માટેની તૈયારી બતાવી હતી. યાત્રા રોજનું 30થી 50 કિમીનું અંતર કાપી રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવવાની તૈયારી કરવામાં આવશે.

જોકે વિદેશની ધરતી પર આ રથયાત્રા પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર ત્યાનું વાતાવરણ છે. જ્યાં ઠંડી, વરસાદ સૌથી વધુ હશે ત્યાં હોલ્ટ પણ કરવો પડી શકે છે. તેમજ ભોજનની કોઈ તકલીફ ન પડે એ માટે ભોજન તેમજ જરૂરી સામગ્રી સાથે લઈ જવામાં આવી છે. રાજકોટથી યાત્રા અયોધ્યા પહોંચી હતી અને ત્યાંથી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow