ચીનમાં કોરોના ટેસ્ટ વિના યાત્રાની મંજૂરી!

ચીનમાં કોરોના ટેસ્ટ વિના યાત્રાની મંજૂરી!

ચીનમાં દેખાવકારોનો મોટો વિજય થયો છે. દેખાવોને કારણે ચીનની સરકાર તેની ઝીરો કોવિડ નીતિમાં ફેરફાર કરવા મજબૂર થઈ છે. તેણે કોરોના રોકવા માટે લાગુ કરેલા પ્રતિબંધોમાં રાહત આપી છે. તે હેઠળ સંક્રમિત થનારા લોકો હોસ્પિટલ કે સરકાર તરફથી નક્કી કરાયેલી સુવિધામાં દાખલ થવાની જગ્યાએ ઘરે જ ક્વૉરન્ટાઈન રહી શકશે. જે સ્કૂલોમાં કોઈ સંક્રમિત નથી ત્યાં ક્લાસ શરૂ કરી શકાશે.

હવે ચીનમાં ગમે ત્યાં જવા માગતા લોકોએ ફરજિયાત કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો નહીં પડે. ચીનના અધિકારીઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી કોઈ ક્ષેત્રને વધારે જોખમવાળું જાહેર નહીં કરાય ત્યાં સુધી કામ અને પ્રોડક્શન અટકાવી નહીં શકાય. ફક્ત રિટાયરમેન્ટ હોમ્સ, સ્કૂલો અને ક્લિનિક ઉપરાંત અન્ય સ્થળોએ કોરોના નેગેટિવ રિપોર્ટની જરૂર નહીં પડે.

ઝીરો કોવિડ નીતિના ત્રણેય મુદ્દે યુ-ટર્ન, લોકોએ ઉજવણી કરી
ચીનમાં ઝીરો કોવિડ નીતિના 3 મુદ્દા નક્કી કરાયા હતા. પ્રથમ, મોટા પાયે ટેસ્ટિંગ જેથી સંક્રમિતોને ઓળખી શકાય. બીજું, ક્વૉરન્ટાઇનની સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા, જે હેઠળ સંક્રમિતોને સરકારી સુવિધાઓ કે હોસ્પિટલમાં રહેવું પડે. ત્રીજું, લૉકડાઉન લગાવી ચેપને સતત ફેલાતો રોકવો. આ ત્રણે મુદ્દાથી ચીને પીછેહઠ કરી છે. આ રાહત ત્યારે અપાઈ છે જ્યારે ચીનમાં દરરોજ સરેરાશ 30 હજાર કેસ મળી રહ્યા છે. રાહતના સમાચાર આવતા જ લોકોએ ઉજવણી કરી હતી.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow