ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ 14 હજાર એન્જિનમાં ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવા માટે ખુરશીની. 12 કલાક તો ક્યારેક 14 કલાક ખડેપગે ડ્યૂટી કરવી પડે છે.

એક હજારથી વધુ મહિલા લોકો પાઈલટને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. માત્ર 97 એન્જિનમાં ટોઈલેટ છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે પાઈલટને જવાબદાર ઠેરવે છે, તેમની ખામીઓ શોધે છે, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. દુર્ઘટના બાદ અધિકારીઓનું ધ્યાન આ સમસ્યાઓ તરફ જાય છે. થોડા દિવસો સુધી સુધારવાના પ્રયાસો થાય છે, પછી સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે.

2016માં માનવ અધિકાર પંચે એન્જિનમાં એસી અને ટોઈલેટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. રનિંગ સ્ટાફ તરફથી 9 કલાકથી વધુ સમય સુધી ડ્યૂટી ન લેવાની ગાઈડલાઈન આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow