ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ 14 હજાર એન્જિનમાં ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવા માટે ખુરશીની. 12 કલાક તો ક્યારેક 14 કલાક ખડેપગે ડ્યૂટી કરવી પડે છે.

એક હજારથી વધુ મહિલા લોકો પાઈલટને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. માત્ર 97 એન્જિનમાં ટોઈલેટ છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે પાઈલટને જવાબદાર ઠેરવે છે, તેમની ખામીઓ શોધે છે, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. દુર્ઘટના બાદ અધિકારીઓનું ધ્યાન આ સમસ્યાઓ તરફ જાય છે. થોડા દિવસો સુધી સુધારવાના પ્રયાસો થાય છે, પછી સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે.

2016માં માનવ અધિકાર પંચે એન્જિનમાં એસી અને ટોઈલેટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. રનિંગ સ્ટાફ તરફથી 9 કલાકથી વધુ સમય સુધી ડ્યૂટી ન લેવાની ગાઈડલાઈન આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow