ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં સતત ઘટાડો આવ્યો છે જેને કારણે વેપારમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પહેલા સંગ્રહખોરો સ્ટોક કરીને રાખતા હતા તેના બદલે હવે જરૂર પૂરતા જ સોદા કરવામાં આવે છે. આમ, વેપાર માટે જે કાંઈ ગણિત મંડાયા હતા કે આયોજનો થયા હતા તે બદલાઇ ગયા છે. હજુ ખાદ્યતેલમાં ઘટાડો આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં પરિસ્થિતિ ખરાબ છે. હાલમાં ડિમાન્ડ ઘટી છે. જરૂર પૂરતી જ ખરીદી અને વેચાણ થતા હવે વેપારમાં ઘટાડો આવી રહ્યો છે. નોંધનીય છે કે, સિઝનની શરૂઆતમાં ખાદ્યતેલના રેકોર્ડબ્રેક ભાવ હતા. આ સમયે ડબ્બાએ રૂ. 3 હજારની સપાટી કુદાવી હતી. જે સિઝનનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ હતો. ત્યારબાદ અત્યારે સીંગતેલનો ડબ્બો રૂ. 2850એ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર તેલમાં રૂ. 500 થી 1000 સુધીનો ઘટાડો આવ્યો છે. જો કે લગ્નસિઝન હવે શરૂ થઈ રહી છે જેને કારણે ખરીદી વધે તેવી આશા સેવાઇ રહી છે.

વેપારીઓના જણાવ્યાનુસાર ભાવ ઘટાડા માટે વૈશ્વિક અને સ્થાનિક બન્ને પરિબળો કામ કરી રહ્યા છે. સીંગદાણામાં સારી ડિમાન્ડ હોવાને કારણે તેમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. સીંગદાણાનો ભાવ અત્યારે રૂ. 1940 સુધી બોલાઇ રહ્યો છે. હાલ યાર્ડમાં મગફળીમાં દૈનિક આવક 1800 ક્વિન્ટલની છે.

Read more

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું!

ગત 14 જુલાઈ, 2025ના રોજ ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આવકવેરા વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ

By Gujaratnow
પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

પટનાની હોસ્પિટલમાં 30 સેકન્ડમાં ગેંગસ્ટરની હત્યા

ગુરુવારે પટનાની પારસ હોસ્પિટલમાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની ફિલ્મી શૈલીમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

By Gujaratnow