ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં સતત ઘટાડો આવ્યો છે જેને કારણે વેપારમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પહેલા સંગ્રહખોરો સ્ટોક કરીને રાખતા હતા તેના બદલે હવે જરૂર પૂરતા જ સોદા કરવામાં આવે છે. આમ, વેપાર માટે જે કાંઈ ગણિત મંડાયા હતા કે આયોજનો થયા હતા તે બદલાઇ ગયા છે. હજુ ખાદ્યતેલમાં ઘટાડો આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં પરિસ્થિતિ ખરાબ છે. હાલમાં ડિમાન્ડ ઘટી છે. જરૂર પૂરતી જ ખરીદી અને વેચાણ થતા હવે વેપારમાં ઘટાડો આવી રહ્યો છે. નોંધનીય છે કે, સિઝનની શરૂઆતમાં ખાદ્યતેલના રેકોર્ડબ્રેક ભાવ હતા. આ સમયે ડબ્બાએ રૂ. 3 હજારની સપાટી કુદાવી હતી. જે સિઝનનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ હતો. ત્યારબાદ અત્યારે સીંગતેલનો ડબ્બો રૂ. 2850એ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર તેલમાં રૂ. 500 થી 1000 સુધીનો ઘટાડો આવ્યો છે. જો કે લગ્નસિઝન હવે શરૂ થઈ રહી છે જેને કારણે ખરીદી વધે તેવી આશા સેવાઇ રહી છે.

વેપારીઓના જણાવ્યાનુસાર ભાવ ઘટાડા માટે વૈશ્વિક અને સ્થાનિક બન્ને પરિબળો કામ કરી રહ્યા છે. સીંગદાણામાં સારી ડિમાન્ડ હોવાને કારણે તેમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. સીંગદાણાનો ભાવ અત્યારે રૂ. 1940 સુધી બોલાઇ રહ્યો છે. હાલ યાર્ડમાં મગફળીમાં દૈનિક આવક 1800 ક્વિન્ટલની છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow