વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

આજના સમયમાં માથામાં ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પુરુષ હોય કે મહિલા લગભગ દરેક વ્યક્તિમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે, તમે ઘણીવાર જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા બાદ માથામાં ટુવાલ બાંધી લે છે. જો મહિલાને પૂછવામાં આવે કે તેઓ વાળ ધોયા બાદ ટુવાલ શા માટે બાંધે છે, તો એક જ જવાબ મળે છે કે, તેનાથી વાળ જલ્દી સુકાઈ જાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ડોક્ટર આ પ્રકારે કરવાની બિલકુલ પણ ના પાડે છે. આ પ્રકારે કરવાથી વાળને અનેક પ્રકારના નુકસાન થાય છે.

જે મહિલાઓ વાળ ધોયા બાદ ટુવાલ બાંધે છે, તેની જગ્યાએ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને ટાલમાં પણ પોષણ પહોંચશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. જો તમારા વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.

વાળ ધોયા બાદ ટુવાલ બાંધવામાં આવે તો શું નુકસાન થાય છે?

  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ વધુ સમય સુધી ભીના રહે છે, જેના કારણે ખોડો થવાની સંભાવના વધી જાય છે.
  • વાળ ધોયા બાદ ટુવાલ બાંધવાથી ટાલમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે, જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
  • જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમણે વાળ ધોયા બાદ બિલકુલ પણ ટુવાલ ના બાંધવો જોઈએ. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સમસ્યા‌ વધી જાય છે.
  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ જડમૂળથી નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • વાળ બાંધવાથી વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી પ્રાકૃતિક શાઇનિંગ જતી રહે છે.
  • ડોક્ટર જણાવે છે કે, અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વખત તેલથી મસાજ કરવું જોઈએ. જેનાથી તમારા વાળમાં નેચરલ શાઇનિંગ આવશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow