વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

આજના સમયમાં માથામાં ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પુરુષ હોય કે મહિલા લગભગ દરેક વ્યક્તિમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે, તમે ઘણીવાર જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા બાદ માથામાં ટુવાલ બાંધી લે છે. જો મહિલાને પૂછવામાં આવે કે તેઓ વાળ ધોયા બાદ ટુવાલ શા માટે બાંધે છે, તો એક જ જવાબ મળે છે કે, તેનાથી વાળ જલ્દી સુકાઈ જાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ડોક્ટર આ પ્રકારે કરવાની બિલકુલ પણ ના પાડે છે. આ પ્રકારે કરવાથી વાળને અનેક પ્રકારના નુકસાન થાય છે.

જે મહિલાઓ વાળ ધોયા બાદ ટુવાલ બાંધે છે, તેની જગ્યાએ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને ટાલમાં પણ પોષણ પહોંચશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. જો તમારા વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.

વાળ ધોયા બાદ ટુવાલ બાંધવામાં આવે તો શું નુકસાન થાય છે?

  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ વધુ સમય સુધી ભીના રહે છે, જેના કારણે ખોડો થવાની સંભાવના વધી જાય છે.
  • વાળ ધોયા બાદ ટુવાલ બાંધવાથી ટાલમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે, જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
  • જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમણે વાળ ધોયા બાદ બિલકુલ પણ ટુવાલ ના બાંધવો જોઈએ. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સમસ્યા‌ વધી જાય છે.
  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ જડમૂળથી નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • વાળ બાંધવાથી વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી પ્રાકૃતિક શાઇનિંગ જતી રહે છે.
  • ડોક્ટર જણાવે છે કે, અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વખત તેલથી મસાજ કરવું જોઈએ. જેનાથી તમારા વાળમાં નેચરલ શાઇનિંગ આવશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow