બિહારમાં 50 રૂપિયા માટે ટોલ કર્મીની હત્યા

બિહારમાં 50 રૂપિયા માટે ટોલ કર્મીની હત્યા

બિહારમાં ભોજપુર ટોલ નાકા પર તહેનાત ઉત્તર પ્રદેશના એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 50 રૂપિયાની ચોરી કરી હતી. જો કે, મૃતકના પિતા સૂર્ય નારાયણ સિંહનો દાવો છે કે તેમના પુત્રની હત્યા નાકા પર તહેનાત હરિયાણાના બાઉન્સરોએ કરી હતી. તે એટલા માટે પણ કારણ કે તેઓ ગોંડાના હતા, કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજોના વિવાદમાં બ્રિજભૂષણનો પક્ષ લેતા હતા.

અગાઉ મૃતક યુવકના ભત્રીજા દિલીપ કુમાર સિંહે પણ કહ્યું હતું કે 4-5 દિવસ પહેલાં બળવંત અને બાઉન્સરો વચ્ચે કુસ્તીબાજોને લઈને ઝઘડો થયો હતો. બળવંતે મને તેના વિશે જણાવ્યું. તે લોકોએ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ હુમલો કર્યો હતો.

કર્મચારી બલવંત સિંહ યુપીનો રહેવાસી હતો અને ભોજપુરના કુલહડિયા ટોલ પ્લાઝા પર કામ કરતો હતો. આ ટોલ પ્લાઝા હરિયાણાની રણછોડ ઈન્ફ્રા ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow