નવસારી જિલ્લામાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ

નવસારી જિલ્લામાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ

નવસારી જિલ્લામાં ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત તાપમાન આજે મકરસક્રાંતિએ 8 ડિગ્રી નોંધાયું હતું. જેથી લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. તેમજ પવનની ગતિ પણ 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. સિઝનમાં પ્રથમ વખત ઠંડી સામે રક્ષણ આપતા ગરમ કપડાં પહેરતા લોકો જોવા મળ્યા હતા.

નવસારીમાં અત્યાર સુધી મિશ્ર વાતાવરણનો લોકોએ અહેસાસ કર્યો હતો અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો સામનો કરવો પડતો હતો, ત્યારે સિઝનમાં લાબા સમય બાદ લોકોને ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અત્યાર સુધી લોકોએ સામાન્ય ઠંડીનો અહેસાસ કર્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી શિયાળો ઓપચારિક રીતે જામતા આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ 3.6 km પ્રતિ કલાકે નોંધાઇ છે.વહેલી સવારથી ઠંડો પવન વહેતો હોવાને કારણે લોકોએ આખો દિવસ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. છેલ્લા અનેક દિવસોથી માત્ર વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાતી હતી અને દિવસ દરમિયાન નોર્મલ ટેમ્પરેચર રહેતું હતું. પરંતુ આજે લઘુત્તમ તાપમાન 8 ડીગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow