બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ ખેરડીના યુવકે વખ ઘોળી આપઘાત કરી લીધો હતો. ભારતીનગરમાં રહેતા વિજયસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.40) રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પોતાના રૂમનું બારણું અંદરથી બંધ કરી ઓછાડ પંખાના હૂકમાં બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં વિજયસિંહ બહાર નહીં આવતા પરિવારજનોએ બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતા બારણું તોડતાં જ વિજયસિંહનો લટકતો દેહ નીચે જોવા મળ્યો હતો,

વિજયસિંહને નીચે ઉતારી પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ ક્રિશ્ચિયન સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ ધંધો સારી રીતે ચાલતો નહોતો અને બેકારીની સ્થિતિને કારણે વિજયસિંહ ચિંતામાં રહેતા હતા અને તે કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. યુવકના આપઘાતથી તેની બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગોહિલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow