ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

દેવગુરૂ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અઠવાડિયામાં ગુરૂવારનો દિવસ સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનુ સ્મરણ અને પૂજા-પાઠ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમના દુઃખ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે આ કાર્યોને કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને તેમની નારાજગીનો સામનો કરવો પડે છે.

ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ
- જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ.
- એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
- એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
- ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ.