ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

દેવગુરૂ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અઠવાડિયામાં ગુરૂવારનો દિવસ સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનુ સ્મરણ અને પૂજા-પાઠ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમના દુઃખ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે આ કાર્યોને કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને તેમની નારાજગીનો સામનો કરવો પડે છે.  

ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ.
  • એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
  • એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow