ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

દેવગુરૂ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અઠવાડિયામાં ગુરૂવારનો દિવસ સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનુ સ્મરણ અને પૂજા-પાઠ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમના દુઃખ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે આ કાર્યોને કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને તેમની નારાજગીનો સામનો કરવો પડે છે.  

ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ.
  • એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
  • એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow