લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, પાટખિલોરીમાં કરા પડ્યા

લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, પાટખિલોરીમાં કરા પડ્યા

રાજકોટમાં રવિવારે સાંજે 7.30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. હજુ બુધવાર સુધી માવઠાની આગાહી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ લોકલ ફોર્મેશનને કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારા થયા હતા. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતના ગામમાં અમીછાંટણા વરસ્યા હતા. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરાં પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. ખેડૂત અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે કમોસમી વરસાદથી ચણા,ઘઉં,ધાણા અને જીરુના પાકને મોટુ નુકસાન થયુ છે.

રાજકોટ-કોટડાસાંગાણી રોડ પર બરફના થર, 12 વીજફીડર બંધ
રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજીબાજુ રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતા જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ગુલ થઇ ગઈ હતી. રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.

રવિવારે સવારમાં 72 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ, બપોરે ફરી શરૂ
જૂનાગઢ | જૂનાગઢમાં રવિવારે 72 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રોપ-વેનું સંચાલન બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ પવનની સ્થિતિ કાબૂમાં આવતા ફરી બપોરના 12 કલાકે રોપ-વેનું સંચાલન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું રોપ-વેના સંચાલક દીપક કપલીસે જણાવ્યું હતું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow