મોબાઈલની દુકામાં બાકોરું પાડી 5 લાખના મોબાઈલની ચોરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા

મોબાઈલની દુકામાં બાકોરું પાડી 5 લાખના મોબાઈલની ચોરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા

આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં આવેલ પુજારા મોબાઈલ દુકાનની પાછળ બાકોરું પાડીને અંદર પ્રવેશી કિંમત રૂપિયા 5,42,341ના 20 નંગ મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રણ આરોપીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉમરેઠ ઓડ ચોકડી થી ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 20 નંગ મોબાઈલ ફોન રિકવર કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં આવેલ પુજારા મોબાઈલ નામની મોબાઇલની દુકાન આવેલી છે. ગત 6 ફેબ્રુઆરી 2023 ના રાત્રિના સમયે તસ્કરોએ મોબાઇલની દુકાને નિશાન બનાવીને મોબાઈલ દુકાન ની પાછળ ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશી જુદી -જુદી કંપનીના આશરે રૂ.5,42,341 કિંમત 20 નંગ મોબાઈલની ચોરી કરી નાસી ગયાં હતાં.આ દરમ્યાન તસ્કરો મોબાઈલની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં.આ અંગે ઉમરેઠ પોલીસે ચોરીનો ગુનો નહોતી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી હતી.

મહત્વનું છે કે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની તપાસ દરમ્યાન ટીમે ઉમરેઠ ઓડ ચોકડી પાસેથી શંકાસ્પદ લાગતા ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતાં.પોલીસે તેઓની અંગઝડતી કરતાં તેમની પાસે જુદી -જુદી કંપનીના આશરે રૂ. 5,42,341 કિંમતના 20 નંગ મોબાઈલનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે આ ત્રણેય તસ્કરોના નામ ઠામ પુછતા અર્પિત ઉર્ફે અલ્પો ઉર્ફે અલ્પેશ ભરતભાઈ રાવળ રહે, ડુંગરી તાલુકો, મોડાસા, મેહુલકુમાર ઉર્ફે મેહુલિયો રમણભાઈ પગી(ઠાકોર )રહે, કઉ ,મોડાસા તથા સંજય ઉર્ફે સજ્યો નરસિંહભાઈ ખાટ રહે, સંજેલી, (ગોટ) મેઘરાજ મોડાસા હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 20 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,42,341 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા ત્રણેયની પુછપરછ કરતાં તેઓએ ગત તારીખ 6 ફેબ્રુઆરી 2023ની રાત્રિના સમયે ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે આવેલ પુજારા મોબાઈલ દુકાનમાંથી આ મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.આણંદ એલસીબી દ્વારા આ તસ્કરોની વધુ તપાસ અર્થે ઉમરેઠ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow